કલેક્ટર સૌરભ પારઘીએ મુકેશ દલાલને વિજેતાનું સર્ટિફિકેટ આપ્યું સુરત: હાઈ વૉલ્ટેજ ડ્રામાબાદ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર કોઈ ઉમેદવાર બિનહરીફ થયા છે. સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે તમામ નવ ઉમેદવારો પૈકી સાત ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. માત્ર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ત્યારે લાલ બાકી હતા તેઓ અચાનક હજી કલેક્ટર કચેરી પહોંચ્યા અને ફોર્મ પાછા ખેંચી લીધા હતા. જેના કારણે હવે મુકેશ દલાલ સુરત લોકસભા બેઠક પર બિનહરીફ થયા છે. મુકેશ દલાલ બિનહરીફ થતા તેઓએ સૌથી પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના ઘરે જઈને મુલાકાત લીધી હતી અને શુભેચ્છા મુલાકાત ની તસ્વીરો પણ વાયરલ થઈ હતી.
કેશ દલાલ બિનહરીફ થતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે શુભેચ્છા આપી બિનહરિફ વિજેતા જાહેર થયા બાદ મુકેશ દલાલે મીડિયા સાથે રૂબરૂ થયાં સી.આર.પાટીલે શુભેચ્છા આપી:મુકેશ દલાલ બિનહરીફ થતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સોશિયલ મીડિયા હેન્ડલર પર તેમને શુભેચ્છા આપી છે. હવે લખ્યું છે કે 'માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને સુરત એ પહેલું કમળ અર્પણ કર્યું' ઉલ્લેખનીય છે કે જ્યારે મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા ત્યારે તેઓ સીઆર પાટીલના કાર્યાલય હતા અને મુલાકાત લીધી હતી.
સી.આર.પાટીલની પ્રેસ કોન્ફરન્સ પાટીલની પ્રતિક્રિયા: સી.આર.પાટીલે જણાવ્યું હતું કે 400 બેઠકો જીતવી એ જ ભાજપ માટે ઓપરેશન લોટસ છે. ક્યારે મુકેશ દલાલે કહ્યું હતું કે દિલ્હી જઈને મારે એમના માટે એક મીની બસ ગોતવી પડશે, કારણ કે આજે ૫૨ છે 40 સીટની નીચે જો કોઈ મીની બસ મળી જશે તે હું ગોતીશ જેથી પુરા પાર્લામેન્ટના મેમ્બર બેસીને પાર્લામેન્ટમાં જઈ શકે,
કલેક્ટર સૌરભ પારઘીએ મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા માત્ર દસ મિનિટમાં ખેલા:સુરત લોકસભા બેઠક પર જ્યારે સવારથી જ લોકો પ્યારેલાલની શોધખોળ કરી રહ્યા હતા. પરંતુ લગભગ બપોરે 2:10 વાગે પોતાના ટેકેદારો સાથે પ્યારેલાલ કલેકટર કચેરીના પાછલા બારણે થી અંદર દાખલ થયા અને દસ મિનિટમાં એફિડેવિટ સુપ્રત કરી તેઓ નીકળી ગયા હતા. આ વચ્ચે જ આ જ સમયે ભાજપના જનક બગદાણા, સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી અને લીગલ સેલના ભાજપના નેતા પહોંચી ગયા હતા જેથી અટકળો પણ સાચી પડી હતી કે પ્યારેલાલ ભાજપના નેતાઓ સાથે છે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા કોંગ્રેસના આરોપ: સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા જાહેર થયા છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોષીએ ભાજપ સહિત ભારતીય ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા છે. મનીષ દોષીએ કહ્યું કે, ચૂંટણી જીતવા માટે ભાજપ તમામ હથકંડા અપનાવી રહી છે જ્યારે બીજી તરફ ચૂંટણી પંચ ભાજપના ઈશારે નતમસ્તક થઈને કામ કરી રહી છે.
સુરત લોકસભા બેઠક પર ભાજપને બિનહરીફ કરવા માટે ઘટનાક્રમ
બસપાના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું 20 એપ્રિલના રોજ સવારે 11:00 કલાકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાનીએ વાંધા અરજી કરી. વાંધા અરજીમાં કોંગ્રેસના બંને ઉમેદવાર ના ટેકેદારોની સહી નથી તેમ જણાવ્યું.20 એપ્રિલ બપોરે 1:00 વાગ્યે જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને સ્પષ્ટતા માટે બોલાવ્યા20 એપ્રિલ બપોરે 3:00 વાગે કોંગ્રેસના ઉમેદવારને સુનાવની માટે 21 એપ્રિલ 11:00 વાગ્યાનો સમય આપવામાં આવ્યો21 એપ્રિલ બપોરે 1:30 વાગ્યાના અરસામાં ચૂંટણી પંચ દ્વારા આદેશ કરાયો કે કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવાર બંનેના ફોર્મ રદ્દ કરાય છે22 એપ્રિલના રોજ ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે સવારે 11:00 વાગ્યાથી લઈ બાર વાગ્યાના અરસામા ભાજપ સિવાયના અન્ય આઠ ઉમેદવારો માંથી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા22 એપ્રિલ 11:00 વાગે પ્યારેલાલનો ફોન સ્વીચ ઓફ, બસપાના કાર્યકર્તાઓ તેમને શોધતા થયા.22 એપ્રિલ બપોરે 2:00 વાગે અચાનક જ પ્યારેલાલ કલેકટર કચેરી પહોંચ્યા અને ઉમેદવારી પરત ખેંચી લીધી. - ઇતિહાસનું પુનરાવર્તન : માણાવદર વિધાનસભા બેઠક 22 વર્ષ બાદ ફરી પાટીદાર vs પાટીદાર - Assembly by election 2024
- કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ્, સુરત લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની જીતનો રસ્તો સાફ - SURAT LOK SABHA SEAT