ગુજરાત

gujarat

ETV Bharat / politics

Mallikajurn Kharge on Pm Modi: રાહુલ ગાંધીના કારણે પીએમ મોદીને રાત્રે ઊંઘ નથી આવતી: મલ્લિકાર્જૂન ખડગે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એક વખત પીએમ મોદી પર તીખા શાબ્દિક પ્રહારો કર્યા છે. ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધીના કારણે પીએમ મોદીને ઊંઘ નથી આવતી. તેમણે કહ્યું કે ભાજપ રાહુલની ન્યાય યાત્રાથી ગભરાઈ રહી છે. જેના કારણે ભાજપ હુમલા જેવા પગલા ભરી રહી છે.

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 8:44 AM IST

Updated : Jan 29, 2024, 4:49 PM IST

Etv Bharat
Etv Bharat

દેહરાદૂન (ઉત્તરાખંડ): કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ઉત્તરાખંડના પ્રવાસે હતા. મલ્લિકાર્જુન ખડગેએ દેહરાદૂનમાં કોંગ્રેસના વિરાટ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર જબરદસ્ત આકરા પ્રહારો કર્યા હતાં. મલ્લિકાર્જુન ખડગેએ પોતાના સંબોધનમાં કહ્યું કે રાહુલ ગાંધીના કારણે પીએમ મોદીને રાત્રે ઊંઘ નથી આવતી.

મોદી ડરી ગયાં છે: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદીના સપનામાં નેહરુ, ઈન્દિરા, સોનિયા ગાંધી આવે છે. રાહુલ ગાંધી પીએમ મોદીને ઊંઘવા નથી દેતા. તેમણે કહ્યું કે પીએમ મોદી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાથી ડરી ગયા છે. તેમણે કહ્યું કે જ્યારથી રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ થઈ છે, ભાજપ તેમને રોકવા અને ડરાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે આસામમાં 'ભારત જોડો ન્યાય યાત્રા' રોકી દેવામાં આવી, વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો, પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા.

ભાજપ જુઠ્ઠાણાની માયાજાળ વણવામા મસ્ત: ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી 'ભારત જોડો યાત્રા' કાઢી હતી, પરંતુ આવી ઘટના ક્યાંય નથી બની જેવી ભાજપ શાસિત આસામમાં બની છે. તેમણે કહ્યું કે ભાજપ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાથી ગભરાઈ ગઈ છે. જેના કારણે આવા પગલા લેવામાં આવી રહ્યા છે. આ સાથે મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર ધર્મના નામે ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપ જુઠ્ઠાણાની માયાજાળ વણે છે. ભાજપ હંમેશા ખોટું બોલીને લોકોને છેતરવાનું કામ કરે છે. ખડગે એ વધુમાં કહ્યું કે ભાજપ યુવાનોને છેતરવા માટે અગ્નિવીર યોજના લાવી. આ સ્કીમમાં તમે 4 વર્ષ માટે અગ્નિવીર બનાવશે, 4 વર્ષ પછી તે યુવકનું શું થશે? શું તમે રસ્તા પર ફરશો? શા માટે તેને નોકરીએ રાખતા નથી?

  1. PPC 2024: આજે પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે 'પરીક્ષા પે ચર્ચા', PM વિદ્યાર્થીઓને આપશે સફળતાનો મંત્ર
  2. Nitish Kumar Oath Ceremony : સવારે રાજીનામું-સાંજે શપથ લીધા, નીતિશ કુમાર ફરી બન્યા બિહારના સીએ
Last Updated : Jan 29, 2024, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details