thumbnail

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રામાં પરંપરાગત મામેરું ભરાયું

By

Published : Jul 13, 2021, 8:58 AM IST

અમદાવાદઃ ભગવાન જગન્નાથની પરંપરાગત રીતે 144મી રથયાત્રા નીકળી છે. ત્યારે આ વખતે ભજનમંડળીઓ, અખાડા, ગજરાજ, અને ભક્તો વગરની નીકળી છે, ત્યારે દરવર્ષે ભગવાન મોસાળમાં 1 થી 1.30 કલાક રોકાય છે પરંતુ આ વખતે માત્ર 10 મિનિટ જ ભગવાનના રથ રોકાયા હતા. જ્યારે આ વખતે ભગવાનનું મામેરામાં ભગવાનને વાઘા, સોનાના હાર, તેમજ અન્ય કેટલીક ચીજવસ્તુઓ આપવામાં આવી છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામેરું ભરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા જ સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ જવાનો દ્વારા કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.