અમદાવાદની જમાલપુર શાક માર્કેટમાં લોકોની ભીડમાં ઘટાડો નોંધાયો

By

Published : Mar 21, 2021, 8:43 PM IST

thumbnail
અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા પણ અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં તંત્ર દ્વારા જમાલપુર શાક માર્કેટમાં ઓડ ઇવન પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. જેથી કરીને કોઈ ભીડ ભેગી ન થાય, ત્યારે વેપારીઓ દ્વારા પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. કોરોના કેસોમાં વધારો થતાં મ્યુનિસિપલની ટીમ દ્વારા શાક માર્કેટમાં જઈને વેપારીઓ અને પ્રજાને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા વેપારીઓને સાવચેતી રાખવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.