જામનગરમાં ડી પી કપાત મુદ્દે અન્ન અને પુરવઠા પ્રધાનને આવેદનપત્ર પાઠવ્યું
જામનગર: શહેરમાં વિવિધ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરના મચ્છર નગર વિસ્તારમાં રોડ પહોળો કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે, ત્યારે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. મચ્છુનગર આજુબાજુના વિસ્તારમાં ગરીબ લોકો રહે છે. આ લોકોને વિશ્વાસમાં લીધા વગર એકાએક ડેવલોપમેન્ટ પ્લીનિંગ મુજબ કપાત કરવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.