thumbnail

સાવરકુંડલામાં શાકભાજી વેપારીઓ હડતાલ પર ઉતર્યા

By

Published : Jul 3, 2020, 12:44 PM IST

અમરેલી: સાવરકુંડલામાં શાકભાજીના વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે. 200થી વધુ શાકભાજીના વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાકભાજી વેચાણમાં થઈ રહેલી હાલાકીને કારણે વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે. વેપારીઓ નાવલી નદીના પટમાં સૂત્રોચ્ચાર કરી યોગ્ય ન્યાય આપવા માટે માંગણી કરી રહ્યા છે, તેમજ નાવલી નદીમાં જ શાકભાજી વેચાણની છૂટ આપવા માગ કરી રહ્યા છે. શાક માર્કેટના વેપારીની હડતાલથી સાવરકુંડલાના શહેરીજનોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજીનું વેચાણ નાવલી નદીમાંજ થઈ રહ્યુ છે. પરંતુ કોરોના મહામારીના કારણે સ્થળ બદલવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.