વલસાડ ભાજપ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાઇ
વલસાડઃ જિલ્લા ભાજપ દ્વારા 70માં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડના કલ્યાણ બાગ નજીકમાં આવેલી ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી શ્રધ્ધાસુમન અર્પણ કરી તેમના દ્વારા સમગ્ર દેશ માટે ઘડવામાં આવેલા બંધારણ માટે મહત્વના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.