thumbnail

અમીરગઢ તાલુકાના વાઘોરીયા ગામે જીવાતવાળો ઘાસચારો ખાવાથી 9 પશુઓના મોત

By

Published : Jul 20, 2020, 7:07 PM IST

બનાસકાંઠાઃ કોરોના મહામારીના સમયમાં અમીરગઢના વાઘોરીયા ગામના ભેમાભાઈ શાંખલા પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન રવિવાર વહેલી સવારે તેમને પોતાના 40 પશુઓને ઘાસચારો ખવડાવ્યો હતો. જેમાંથી 9 પશુઓને અચાનક ફૂડ પોઇઝનિંગની અસર થતાં ટપોટપ ઢળી પડ્યા હતા. પશુપાલકે તાત્કાલિક જાણ કરતા વેટરનરી ડૉક્ટર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જીવાત વાળો ઘાસચારો ખાવાથી 9 પશુના મોત થતા પશુપાલકને મોટુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.