thumbnail

By

Published : May 1, 2021, 1:07 PM IST

ETV Bharat / Videos

જામનગરમાં વેક્સિનેશન કાર્યક્રમનો 1મે થી શુભારંભ

જામનગર: ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે. અત્યારે ગુજરાતના 10 જિલ્લામાં આજથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગર શહેરમાં જુદા-જુદા 15 જેટલા આરોગ્ય કેન્દ્ર પર આ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. Etv Bharat સાથે વાત કરતાં જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલે જણાવ્યું કે, જામનગર શહેરમાં વેક્સિન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મોટી સંખ્યામાં 18થી 45 વર્ષની વયના લોકો રસી લેવા માટે વિવિધ આરોગ્ય કેન્દ્ર પર આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.