અમદાવાદ: ગાંધીનગરથી 68 IAS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા છે. અમદાવાદના મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનને સ્પોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે બંચ્છાનિધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. જ્યારે ભાવનગરના કલેક્ટર IAS સુજીત કુમારને અમદાવાદના કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.
આ 4 IAS અધિકારીઓને પ્રમોશન અપાયું
રાજ્યના 4 IAS અધિકારીઓને પ્રમોશન અપાયું તેમાં વિનોદ રાવ, એમ. થેનારસન, અનુપમ આનંદ અને મિલિંદ તોરવણેના નામ સામેલ છે.
GIDCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર IAS ડો. રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ટેકનિકલ શિક્ષણના કમિશનર IAS બંછાનિધી પાનીને અમદાવાદના નવા મ્યુનિ. કમિશનર બનાવાયા છે. તો ગુજરાત ઈલેક્ટ્રિકલ રેગ્યુલેટરી કમિશનના સેક્રેટરી IAS રનજીથ કુમારને સમગ્ર શિક્ષા અભિયાનમાં સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર નિયુક્ત કરાયા છે. અમદાવાદના કલેક્ટરે IAS પ્રવીણા ડી.કેને પ્રમોશન સાથે GIDCના વાઈસ ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે.
દેવભૂમિ-દ્વારકાના કલેક્ટર IAS જી.ટી પંડ્યાને શિક્ષણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના કલેક્ટર IAS કે.સી સંપતને iNDEXT-Bના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે. તો સુરેન્દ્રનગરના DDO IAS આર.એમ તન્નાને દેવભૂમિ-દ્વારકાના કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.
આ પણ વાંચો:
નવા જિલ્લા વાવ-થરાદના સમર્થનમાં ઉમટ્યા લોકો, અરજીઓના થપ્પા સાથે નાયબ કલેકટરને કરી રજુઆત