thumbnail

વાવાઝોડાના કારણે સુરત જિલ્લામાં 35 કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદની સંભાવના

By

Published : Jun 3, 2020, 12:26 PM IST

સુરત: દક્ષિણ ગુજરાત તરફ આવી રહેલુ નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઇ ગયું છે. જોકે, વાવાઝોડાના કારણે સુરત જિલ્લામાં 35 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેકટર ડૉ. ધવલ પટેલ દ્વારા સુરત જિલ્લાના દરિયા કાંઠાના 3 કિમીના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દેવામાં આવ્યા છે. આ લોકો માટે કુલ 21 આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.