thumbnail

By

Published : Mar 23, 2020, 11:10 AM IST

ETV Bharat / Videos

જનતા કરફ્યૂઃ વડોદરામાં વ્યંઢળ સમાજે સેવા કર્મીનું અભિવાદન કર્યું

વડોદરા: કોરોનાના વધતા જતાં વ્યાપ સામે વ્યંઢળ સમાજ પણ ખૂબ ચિંતિત છે. આ જંગમાં સરકાર સાથે વ્યંઢળ સમાજે પણ ખભે ખભો મિલાવી જનતા કરફ્યૂને સમર્થન આપ્યું હતું. જે અંતર્ગત સમાજે સાંજે 5 વાગ્યે વડાપ્રધાન મોદીની અપીલ અનુસાર શંખનાદ, થાળી અને તાળી વગાડી સેવા કર્મીનું અભિવાદન કર્યું હતું. બીજી બાજૂ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરના પૂજ્ય સંતોએ પરમ.પૂજ્ય. મહંત સ્વામીની પ્રેરણાથી કોરોના સામે દેશવાસીઓ માટે જંગ લડનારા યોદ્ધા અભિવાદન માટે આરતી શંખનાદ કર્યું હતું. ત્યારબાદ સ્વામીએ કોરોના મુક્ત ભારત બને તેવી પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.