રાજકોટના 17મા રાજવીનો થશે ઐતિહાસિક રાજતિલક - Historic statesman

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 21, 2020, 12:49 PM IST

રાજકોટ: શહેરના 17મા રાજવી તરીકે માંધાતાસિંહ જાડેજા રાજગાદી પર બિરાજમાન થશે. જેના માટે રાજકોટમાં આગામી 27થી 30 જાન્યુઆરી સુધી ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર માહિતી આપવા માટે માંધાતાસિંહ દ્વારા ખાસ પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રાજતિલકની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં દેશ-વિદેશના રાજવીઓ, સંતો-મહંતો, મુખ્યપ્રધાન રૂપાણી સહિત રાજ્યના પ્રધાનોને આમંત્રણ પાઠવામાં આવ્યું છે. 27થી શરૂ થનારા આ કાર્યક્રમમાં નગરયાત્રા સાથે ક્ષત્રિય સમાજના દિકરા-દીકરીઓ દ્વારા એક સાથે તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જશે. આ સાથે જ ધાર્મિક વિધિમાં મહાયજ્ઞ સહિતના કાર્યક્રમ યોજવામાં આવશે. રાજકોટના 17મા રાજવીના રાજતિલક સમારોહને ભવ્યથી ભવ્ય બનાવવાં માટે હાલ જોરશોરથી તૈયારી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટના 17મા રાજવીનો ઐતિહાસિક રાજતિલક થશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.