મહીસાગર જિલ્લામાં ભારત બંધને અસમર્થન - gujarat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9808222-thumbnail-3x2-m.jpg)
મહીસાગરઃ ખેડૂત વિરોધી કાયદો રદ કરવામાટે ગત ઘણા દિવસો દિલ્હીની સરહદ પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેને સમર્થન આપવા આજે એટલે કે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લામાં ભારત બંધને સમર્થન મળ્યું નથી. જિલ્લામાં રાબેતા મુજબ ધંધા રોજગાર ચાલુ છે અને દુકાનો ખુલ્લી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની સરહદ પર 13 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું.