અમદાવાદઃ કોરોનાની અસર, ત્રણ દરવાજા સહિતના બજારો સજ્જડ બંધ
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6503738-thumbnail-3x2-lal.jpg)
અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે 14 કલાક માટે જનતા કરફ્યૂ સમગ્ર દેશમાં રાખવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ લોકોએ કરફ્યૂને સમર્થન આપતા જાતે જ બંધ રાખ્યું છે. જેની અસર અમદાવાદના લાલદારવાજા પાસે પણ જોવા મળી છે. લાલદારવાજા અને ત્રણ દરવાજા પાસે આવેલા બજાર સામાન્ય દિવસોમાં દિવસ-રાત ભરચક હોય છે. જે રવિવારે સવારથી જ ખાલી જોવા મળ્યો હતાં.