thumbnail

By

Published : Aug 6, 2020, 9:10 PM IST

ETV Bharat / Videos

શ્રેય હોસ્પિટલની આગની અસર, મ્યુનિસિપલ કોર્પોરેશનના 834 કરોડના લોકાર્પણ અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ મુલ્તવી

અમદાવાદઃ ગુરુવારે સવારે નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનામાં 8 દર્દીઓના મોત થયાં છે. જેથી શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રૂપિયા 834 કરોડના ખર્ચે વિવિધલક્ષી વિકાસના કામોનું ઇ-લોકાર્પણ અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ મુલ્તવી રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં આગ લાગવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત વડાપ્રધાને PM કેર ફંડ અને મુખ્યપ્રધાને આકસ્મિક રાહત નિધિમાંથી મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત પણ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.