અમદાવાદમાં દશેરાની ઉજવણી, રામાયણ નાટકમાં અયોધ્યાથી આવે છે કલાકારો - amdabad ravan dahan
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા. દશેરાના દિવસે અમરાઈ વાડીના નાગરવેલ હનુમાન પાસે આવેલા મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે પ્રથમ નવરાત્રીથી જ આ જગ્યાએ વર્ષોથી રામાયણના પાઠ ભણાવવામાં છે અને દશેરાના દિવસે રામ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ વિસ્તારમાં વર્ષોથી રામાયણ નાટક સ્વરૂપે ભજવવામાં આવે છે. રામાયણ નાટકના કલાકારો અયોધ્યા તેમજ કાશીથી આવે છે.