ભાવિકોનો ધસારો વધતા 1 દિવસ પહેલા ગિરનારની પરિક્રમા શરુ - Girnar Parikrama 2019 news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4995929-thumbnail-3x2-jnd.jpg)
જૂનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા તેના નિર્ધારીત સમય પહેલા શરુ કરવામાં આવી છે. પ્રાચીન કાળથી આયોજિત ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસની મધ્ય રાત્રીના સમયે શરુ કરવામાં આવતી હોય છે. પરંતુ 'મહા' વાવાઝોડાના ખતરાને લઈને વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા તેના નિર્ધારિત સમય મુજબ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વાવાઝોડાનો ખતરો દૂર થતાં પરિક્રમાર્થીઓનો પ્રવાહ ભવનાથ તરફ અવિરત શરુ થતા જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા પરિક્રમાને 1 દિવસ પહેલા શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરિક્રમાનો ગેટ ઇટવા ચેક પોસ્ટ પર વન વિભાગના અધિકારીઓ દ્વારા શ્રીફળ વધેરીને પરિક્રમાની શુભ શરૂઆત કરવામાં આવી હતી.