જામનગરમાં ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો, કાર્યકરો મોટી સંખ્યામાં રહ્યા હાજર - get together for new year
🎬 Watch Now: Feature Video

જામનગરઃ જિલ્લા ભાજપ દ્વારા દિવાળી અને નૂતનવર્ષ નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. શહેરના કુંવારબાઈ જૈન ધર્મશાળા ખાતે જિલ્લા ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓનો દિવાળી અને નવા વર્ષ નિમિતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુે કલમ 370 અને રામ મંદિર જેવા અનેક મુદે ભાજપની ઉપલબ્ધીઓ અંગે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ આગામી દિવસોમાં સંગઠન પર્વની કામગીરી અંગે સૂચનો કર્યા હતાં. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, વલ્લભભાઈ ધારવિયા, મેઘજીભાઇ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.