નડીયાદ નજીક એલીશા સ્નેક્સ કંપનીમાં આગ, કોઈ જાનહાનિ નહીં - નડિયાદ ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 24, 2020, 12:01 PM IST

નડિયાદઃ કણજરી પાસે આણંદ રોડ પર એલીશા સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. જે કંપનીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગવાના કારણ અંગે મળી રહેલી પ્રાથમિક વિગતો અનુસાર ઓઈલ ટેમ્પરેચર વધી જવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.