શહેરામાં દશેરાના દિવસે કરાયું જવારાનુ વિસર્જન
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4693538-thumbnail-3x2-yaaaa.jpg)
પંચમહાલઃ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીનો તહેવાર પુર્ણ થયો હતો. ખૈલયાઓએ નવ નવ દિવસ રાશ ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રીમાં ગરબાની સ્થાપનાની સાથે જવારાનુ વિશેષ મહત્વ હોય છે. શહેરા ખાતે આવેલા ઢોલી ફળિયા વિસ્તારમા સ્થાપિત ગરબા અને જવારાનુ વિર્સજન તળાવમા કરવામા આવ્યુ હતુ, જેમા શહેરાના નગરવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તે વાજતે ગાજતે પરવડી વિસ્તાર અંબામાના મંદિર,મહાલક્ષ્મી મંદિરથી ફરીને મૂખ્ય તળાવ ખાતે જવારા વિર્સજિત કરવામા આવ્યા હતા.