thumbnail

By

Published : Jul 31, 2020, 8:54 AM IST

Updated : Jul 31, 2020, 10:04 AM IST

ETV Bharat / Videos

કેશોદના સ્મશાનમાં સરકારી સંસ્થા અને લોકભાગીદારથી સ્વર્ગારોહણ અગ્નિ સંસ્કાર ભઠ્ઠી તૈયાર

જૂનાગઢઃ કેશોદના સ્મશાનમાં થાેડા સમય પહેલાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ડીઝલ ભઠ્ઠીનું નિર્માણ થયું હતું. જયારે મૃત્યુ પામનારના સ્વજનોના મૃતદેહને લાકડામાં અગ્નિદાહ આપવાની ઇચ્છાના કારણે વધુ એક અગ્નિસંસ્કાર ભઠ્ઠી તૈયાર કરવામાં આવી છે. આ ભઠ્ઠી કલાઇમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને જેડા તેમજ નગરજનાેની ભાગીદારીથી 5 લાખમાં તૈયાર થઇ છે. જેમાં 70 થી 100 કિલો બાયોકોલ, છાંણા કે લાકડા તેમજ હવાના દબાણથી માત્ર 2 કલાકમાં જ નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થઇ જશે. જેના કારણે લાકડાની અને સમયની બચત તેમજ પર્યાવરણનું જતન થશે. આ ઉપરાંત આ ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર સમયે ગીતાના 12 અને 15 માં અધ્યાયનું સંગીત સાથે પઠન થશે અને મૃત્યુ પામનારના સ્વજનો તમામ વિધિ પણ કરી શકશે.
Last Updated : Jul 31, 2020, 10:04 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.