નાબાર્ડ દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સહયોગ મેળાનું કરાયું આયોજન
અમદાવાદ: નાબાર્ડ દ્વારા 1 થી 3 ઓક્ટોબર 2021 દરમિયાન 3 દિવસીય સહયોગ મેળાનું અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ, વલ્લભ સદન પાસે આયોજન કરવામાં આવ્યું છે. આ મેળોએ ગ્રામીણ કારીગરો અને ઉદ્યોગસાહસિકો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, સ્વ સહાય જુથો (SHGS) ને તેમની હસ્તકલા અને ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવા માટેનું એક મંચ પૂરું પાડશે. મેળાનું ઉદ્ઘાટન ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કર્યું હતું. કૃષિ પ્રધાને આત્મ-નિર્ભર ભારત મિશનના લક્ષ્યોને સાકાર કરવામાં ખેડૂત ઉત્પાદક સંગઠનની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
Last Updated : Oct 3, 2021, 8:43 PM IST