ભરૂચના યુવાનોએ બ્લેક ડે મનાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
ભરૂચઃ જિલ્લામાં યુવાનોએ કાળા વસ્ત્રો ધારણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વેલેન્ટાઈન્સ ડે પ્રેમની અભિવ્યક્તિનો પર્વ માનવામાં આવે છે. પરંતુ કમનશીબે ભારતમાં 14 ફેબ્રુઆરી 2019એ પુલવામમાં 40 જવાનો શહીદ થયા હતા. આ કાળા દિવસને પ્રેમના પર્વ તરીકે ઉજવવાના સ્થાને ભરૂચના યુવાનોએ કોલેજ કેમ્પસમાં બ્લેક ડે મનાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.