ભાદરવી પૂનમઃ જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી...
અંબાજીઃ ભારતભરમાં યાત્રાઘામ તરીકે ઓળખાતા શ્રી આરાસુરી અંબાજી માતા મંદિરમાં આજે ભાદરવી પૂનમને કારણે ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લા 15 દિવસથી માઁ અંબા ભક્તો પગપાળા ચાલી અંબાજી સુધી પહોંચ્યાં છે. આજે પૂનમ હોવાથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો જય જય અંબે, બોલ માઁ અંબેના નાદ સાથે મંદિર પરિસરમાં પહોંચ્યાં હતાં.
Last Updated : Sep 14, 2019, 11:30 AM IST