ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પ્રેસ નોટમાં વનવાસી શબ્દ વાપરતાં રાજકારણ ગરમાયું - Press note virial on social media
🎬 Watch Now: Feature Video

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશીની (Manish Doshi statement) સહી સાથેની એક પ્રેસ નોટ સોશ્યલ મીડિયામાં ફરતી થઈ (Press note virial on social media) હતી. જેમાં આદીવાસીઓ માટે વનવાસી શબ્દનો ઉપયોગ કર્યો (Press note virial on social midia) હતો.આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે, મનીષ દોશીની સહી સાથે પ્રેસ નોટનો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં તેમણે આદિવાસીઓ માટે વનવાસી શબ્દ વાપર્યો છે, જે ખૂબ કમ નશીબ બાબત છે. થોડા સમય પહેલા જ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એક અભ્યાસક્રમનાં પુસ્તકમાં આદિવાસીઓ માંટે વનવાસી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનો ગુજરાત ભરમાં વિરોધ થયો હતો. એજ પ્રકારની હરકત કૉંગ્રેસ પાર્ટીએ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST