Chandrayaan 3: બાબા રામદેવે ચંદ્રયાન-3ની સફળતા માટે કર્યો યજ્ઞ

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 2:29 PM IST

Updated : Aug 23, 2023, 3:07 PM IST

thumbnail

દેહરાદૂનઃ ભારતની સ્પેસ એજન્સી ઈસરો આજે ઈતિહાસ રચવા જઈ રહી છે. ભારતના ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 5.30 થી 6.30 વાગ્યાની વચ્ચે ચંદ્રના તે ભાગને સ્પર્શ કરવા જઈ રહ્યું છે, જેને આજ સુધી કોઈએ જોયું નથી. હરિદ્વારમાં આજે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે મોટા પાયે પ્રાર્થના કરવામાં આવી રહી છે. હરિદ્વારમાં જ્યાં તીર્થ-પુરોહિતોએ ચંદ્રયાન-3 માટે હર કી પૌડી ખાતેના ગંગા મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. બાબા રામદેવે પણ એક યજ્ઞ કર્યો હતો અને ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3નું મિશન પૂર્ણ કર્યા બાદ ભારત ફરી એકવાર દુનિયાને સાબિત કરશે કે આ દેશ વિશ્વ ગુરુ બનવાના માર્ગ પર છે. આજે દેશના વૈજ્ઞાનિકોની મહેનત સફળ થતી જણાય છે. 

  1. Chandrayaan-3: સમગ્ર દુનિયાની નજર ચંદ્રયાન પર, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં ભારત સફળ થશે!
  2. Chandrayaan 3: જાણો અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ચંદ્રયાન 3 વિશે શું કહ્યું....
Last Updated : Aug 23, 2023, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.