thumbnail

Junagadh Rain: જૂનાગઢમાં અતિ ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘુસ્યાં

By

Published : Jun 29, 2023, 10:32 PM IST

જૂનાગઢ: આજે અતિ ભારે વરસાદ પડવાને કારણે જૂનાગઢની જલારામ સોસાયટી અને દૂરવેશ નગરમાં વરસાદનું પાણી ઘુસી ગયુ હતું. લોકો પોતાના જીવ બચાવવા માટે અગાશી પર પહોંચેલા જોવા મળ્યા હતા. ગિરનારમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ નરસિંહ મહેતા સરોવરમાં આવે છે પરંતુ સરોવરના બ્યુટીફિકેશનના કામને લઈને આ પ્રવાહને બાધિત કરાયો. જેને કારણે બે સોસાયટીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ઘૂસી ગયું હતું. જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદે ધોધમાર બેટિંગ કરતાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઇ છે. ભારે વરસાદને પગલે જૂનાગઢની વાણંદ સોસાયટીમાં પાણી ભરાઇ ગયાં હતાં. દાતાર વિસ્તારમાં આવેલાં રહેણાક મકાનોમાં પાણી ભરાતાં ઘરવખરીનો સામાન પાણીમાં તણાયો હતો.

  1. Junagadh rain: જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રેલવે ટ્રેક પર ફરી વળ્યા પાણી
  2. Cotton Price : ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની હરાજીના શ્રીગણેશ, પ્રતિમણ ભાવ રૂપિયા 2121 બોલાયા

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.