Cyclone Biparjoy : કચ્છમાં કપરા સમયે બાળકોને શેલ્ટર હોમમાં શિક્ષણ મળતા આનંદ - બિપરજોય વાવાઝોડા સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18753230-thumbnail-16x9-shelter.jpg)
કચ્છ : સંભવિત વાવાઝોડા બિપરજોયની સંભાવનાને પગલે કચ્છનું વહિવટી તંત્ર એલર્ટ થયું છે અને દરિયાઈ વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરી રહ્યું છે. ત્યારે મુન્દ્રા તાલુકાના બારોઈ ખાતેના શેલ્ટર હોમમાં બાળકોને સાચવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થળાંતરિત કરાયેલા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે. આગાહીના પગલે સ્થળાંતરિત કરાયેલા કામદારોના બાળકોની સાથે શેલ્ટર હોમમાં પ્રિ-સ્કૂલ એકટીવિટી કરવામાં આવી રહી છે. શેલ્ટર હોમમાં કામદારોના બાળકોને સરકારી કર્મચારીઓ દ્વારા પ્રિ-સ્કૂલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલમાં લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. તો બાળકોને પણ આવા કપરા સમયે શિક્ષણ મળી રહ્યું છે અને તેઓ આનંદ મેળવી રહ્યા છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.