Cyclone Biparjoy Landfall Impact: જામનગરમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી, PGVCLની ટીમ ખડેપગે

By

Published : Jun 16, 2023, 4:00 PM IST

thumbnail

જામનગર: બિપરજોય વાવાઝોડાની ભારે અસર જામનગર પંથકમાં જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. જો કે જામનગર સાત રસ્તા સબ સ્ટેશનની પીજીવીસીએલની ટીમ ખડેપગે જોવા મળી રહી છે. કોડાનીક સોસાયટીમાં ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થયુ હતું. તત્કાલિક જેસીબીની મદદથી વૃક્ષને દૂર કરવામાં આવ્યું છે. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. જામનગર જિલ્લાના વિવિધ બંદરો પરથી 10 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું છે અને ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે. પીજીવીસીએલના અધિકારીએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું કે પીજીવીસીએલની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને કન્ટ્રોલ રૂમ પરથી આવેલા ફોન પર તાત્કાલિક પહોંચે છે. સીધી કામગીરી શરૂ કરવામાં આવે છે. ટીમમાં એન્જીનીયરથી લઈ કારકુનનો સમાવેશ થયા છે અને ટીમ વર્કથી કામગીરી શરૂ કરવામાં આવે છે. જેમ બને તમે વૃક્ષો દૂર કરી વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવે તેવી કામગીરી કરવામાં આવે છે. 

  1. Cyclone Biparjoy Landfall Impact: જામનગરના ગૌરવ પથ પર મહાકાય વૃક્ષો ધરાશાયી
  2. Cyclone Biparjoy Landfall Impact: કચ્છમાં ભારે વરસાદથી તારાજી, ભુજ નલિયા માર્ગ પર 100થી પણ વધુ વૃક્ષો ધરાશાયી

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.