thumbnail

જામનગરમાં શિક્ષકોએ પડતર માગણીના મુદ્દે યોજ્યા ધરણા

By

Published : Nov 30, 2019, 11:11 PM IST

જામનગરઃ શનિવારે જિલ્લા પંચાયત ચોકમાં શિક્ષકોએ પોતાની પડતર માગણીને લઈ ધરણા યોજ્યા હતા. જામનગરના 6 તાલુકા મથકે શિક્ષકોના ધરણા યોજવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, જામનગર જિલ્લાભરમાં 1500થી વધુ શિક્ષકો ધરણા કાર્યક્રમમાં જોડાયા છે. જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ મુદ્દે ધરણા યોજ્યા હતા. બીજી બાજુ આગામી સમયમાં રાજ્ય સરકાર શિક્ષકોની માંગ નહીં માને તો જલદ કાર્યક્રમ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.