વડોદરાની નાગરવાડા પાલિકાની વહીવટી ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા
વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગરીબ અને મધ્યમ વર્ગને વ્યવસાય કરવા માટે સ્વનિધિ લોન યોજના બહાર પાડી હોવાની વાત લોકો સુધી પહોંચતા વોર્ડ ઓફિસો ખાતે વહેલી સવારે 7 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા. પરંતુ વડોદરાના નાગરવાડા સ્થિત વોર્ડ ઓફિસ ખાતે લાંબી-લાંબી કતારો જામી હતી અને લોન લેવાના ચક્કરમાં લોકો કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટન્સને ભૂલ્યા હતા. આ ઉપરાંત ઉપસ્થિત અધિકારીઓ પણ પોતાની ફરજ પણ ભૂલ્યા હતા.