thumbnail

દિયોદર સેવા સહકારી શરાફી મંડળીના પાણીના ટાંકામાંથી મળ્યો મૃતદેહ, ઘટના CCTVમાં કેદ

By

Published : Sep 25, 2020, 2:55 PM IST

પાલનપુરઃ બનાસકાંઠાના દિયોદરમાં પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ધી દિયોદર સેવા સહકારી શરાફી મંડળીના પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહની ઓળખ 48 વર્ષીય રમેશ પઢીયાર તરીકે કરવામાં આવી છે. જે દિયોદરના હોવાનું સામે આવ્યું છે. યુવકના પાણીના ટાંકામાં ઉતરતા CCTV પણ સામે આવ્યાં છે. આ ઘટના અંગે દિયોદર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.