કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરી
મુંબઇ: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો ચાલુ છે. તાજેતરની ઘટનામાં કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ગૃહ પ્રધાન અમિત શાહને એક પત્ર લખ્યો છે. તેમણે મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરી છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, આ સરકાર મહારાષ્ટ્રને બાળી રહી છે, તેની ઓળખ તોડી રહી છે.