દિલ્હીમાં હિંસા યથાવત, 17ના મોત, અનેક વિસ્તારોમાં હાઈએલર્ટ - નાગરિકતા સુધારા કાયદા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6204931-thumbnail-3x2-dilhi.jpg)
નોઈડા: દિલ્હીમાં CAA (નાગરિકતા સુધારા કાયદા)ના વિરોધમાં અને સમર્થનમાં સોમવારથી પ્રદર્શનો થઇ રહ્યાં છે. જે દરમિયાન હિંસાની ઘટના સામે આવી હતી. આ હિંસામાં 17 લોકના મોત થયા છે અને 170થી વધારે લોકો ઘાયલ થયા છે. દિલ્હી પોલીસના પ્રમાણે ઉત્તર પૂર્વી દિલ્હીના જાફરાબાદમાં રોડ પરથી પ્રદર્શનકારીઓને હટાવી દવામાં આવી છે. દિલ્હીમાં હિંસાની ઘટનાઓને લઇને ગૌતમ બુદ્ધનગર પોલીસે દિલ્હીથી જાડાયેલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. નોઈડામાં દિલ્હીની નજીકમાં દારૂના અડ્ડાઓને સમય પહેલા જ બંધ કરી દેવામાં આવ્યાં છે. પોલીસે વાહનોનું ચેકિંગ પણ હાથ ધર્યું છે. શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
Last Updated : Feb 26, 2020, 9:20 AM IST