વન વિભાગે નદીમાં ફસાયેલા 55 વાંદરાને બચાવ્યા - વન વિભાગ
🎬 Watch Now: Feature Video

બેંગલુરુઃ કર્ણાટકના હરિહર તાલુકામાં રાજનહલ્લી પાસે વન વિભાગ અને ફાયર બ્રિગેડે 55 વાંદરોને ડૂબવાથી બચાવ્યા છે. આ તમામ વાંદરા તુંગભદ્રા નદીની વચ્ચે ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે, વધુ વરસાદના કારણે તુંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે તુંગભદ્રા નદી ઓવરફ્લો થઇ ગઇ છે. જેથી ભોજનની શોધમાં ગયેલા વાનર વૃક્ષોમાં ફસાયા હતા.