ETV Bharat / state

તાપી : કેરીના વેપારીએ ઉચ્છલ પોલીસમાં લૂંટની ખોટી ફરિયાદ આપી

મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની અને હાલ સુરતના વરાછા રોડ વિસ્તારમાં રહેતા એક વેપારીની બાઇકને પાછળથી ટક્કર મારી ઉભો રાખ્યો હતો. એ પછી ચાર લૂંટારા પૈકીના એકે વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી એના હાથ માંથી 3,35,000/- ની રોકડ ભરેલો થેલો લૂંટી ગયાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે તાપી એલસીબીની ટીમે તર્ક બુદ્ધિ પ્રમાણે સમગ્ર કેસ સોલ્વ કરી ફરિયાદી જ આરોપી પુરવાર કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો

author img

By

Published : Jun 11, 2021, 7:01 PM IST

yyy
તાપી : કેરીના વેપારીએ ઉચ્છલ પોલીસમાં લૂંટની ખોટી ફરિયાદ આપી
  • વેપારમાં મનદુ:ખ હોવાના કારણે વેપારીએ રચ્યો લૂંટનો સ્વાંગ
  • ફરીયાદી જ લૂંટનો કરતા ધરતા
  • પોલીસે ફરીયાદીની અટકાયત કરી

સુરત: વેપાર ધંધામાં પાટર્નર સાથે મન દુ:ખ થતા લૂંટનો સ્વાંગ રસી વેપારીએ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરીયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ઉડાંણ પૂર્વક તપાસ કરતા ફરીયાદી જ સમગ્ર બાબતનો કરતા ધરતા જાણવા મળ્યો હતો.

3 લાખ ઉપરની લૂંટ

મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની અને હાલ સુરતના વરાછા રોડ વિસ્તારમાં રહેતો ભેરારામ તગારામ માળીએ દોઢ-બે માસ પૂર્વે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેણે સુરતના અન્ય વેપારી પાસે કુલ 3,35,000/- ની રોકડ રકમ લઇ ઉચ્છલના ધજ ગામે વાડીના માલિકને ભાડું ચૂકવવા માટે બાઇક લઇ નીકળ્યો હતો તે વેળાએ અજાણ્યા લુટારુઓએ તેની આંખમાં મરચાની ભૂકી નાખી ખિસ્સામાં રહેલા બે મોબાઇલ કાઢી ચારે લૂંટારા બાઇક લઇ નાસી ગયા હતા. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જે કેસ તાપી એલસીબી પાસે આવતા ટીમને સમગ્ર ઘટના નાટ્યાત્મક હોવાનું અને ભેદ-ભરમ ઉભો થાય તેવું હોય આથી એલસીબીની ટીમે તર્ક બુદ્ધિ થી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : મહેસાણા: કડી હત્યા, લૂંટ અને અપહરણ સહિતના ગંભીર ગુન્હાઓના કારણે બન્યું ક્રાઈમ ઝોન

પોલીસની તપાસ

શકના દાયરામાં રહેલા ફરિયાદી ભેરારામ તગારામ માળીની ઉલટ તપાસમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો અને પાર્ટનર સાથે રૂપિયાની લેતીદેતી અંગે મન દુઃખ થતા, લુટ થયા હોવાનો સ્વાંગ રચી લૂંટની ખોટી કરિયાદ નોંધાવી પોલીસને ભ્રમિત કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. હાલ પોલીસે વધુ તપાસ અર્થે ભેરારામ માળીની અટકાયત કરી આગળની વધુ તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કરી રહ્યા છે.

આ પણ વાંચો : અંજારના વરસાણા પાટીયે છરીની અણીએ ટ્રક કરી લૂંટ

  • વેપારમાં મનદુ:ખ હોવાના કારણે વેપારીએ રચ્યો લૂંટનો સ્વાંગ
  • ફરીયાદી જ લૂંટનો કરતા ધરતા
  • પોલીસે ફરીયાદીની અટકાયત કરી

સુરત: વેપાર ધંધામાં પાટર્નર સાથે મન દુ:ખ થતા લૂંટનો સ્વાંગ રસી વેપારીએ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરીયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ઉડાંણ પૂર્વક તપાસ કરતા ફરીયાદી જ સમગ્ર બાબતનો કરતા ધરતા જાણવા મળ્યો હતો.

3 લાખ ઉપરની લૂંટ

મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની અને હાલ સુરતના વરાછા રોડ વિસ્તારમાં રહેતો ભેરારામ તગારામ માળીએ દોઢ-બે માસ પૂર્વે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેણે સુરતના અન્ય વેપારી પાસે કુલ 3,35,000/- ની રોકડ રકમ લઇ ઉચ્છલના ધજ ગામે વાડીના માલિકને ભાડું ચૂકવવા માટે બાઇક લઇ નીકળ્યો હતો તે વેળાએ અજાણ્યા લુટારુઓએ તેની આંખમાં મરચાની ભૂકી નાખી ખિસ્સામાં રહેલા બે મોબાઇલ કાઢી ચારે લૂંટારા બાઇક લઇ નાસી ગયા હતા. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જે કેસ તાપી એલસીબી પાસે આવતા ટીમને સમગ્ર ઘટના નાટ્યાત્મક હોવાનું અને ભેદ-ભરમ ઉભો થાય તેવું હોય આથી એલસીબીની ટીમે તર્ક બુદ્ધિ થી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : મહેસાણા: કડી હત્યા, લૂંટ અને અપહરણ સહિતના ગંભીર ગુન્હાઓના કારણે બન્યું ક્રાઈમ ઝોન

પોલીસની તપાસ

શકના દાયરામાં રહેલા ફરિયાદી ભેરારામ તગારામ માળીની ઉલટ તપાસમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો અને પાર્ટનર સાથે રૂપિયાની લેતીદેતી અંગે મન દુઃખ થતા, લુટ થયા હોવાનો સ્વાંગ રચી લૂંટની ખોટી કરિયાદ નોંધાવી પોલીસને ભ્રમિત કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. હાલ પોલીસે વધુ તપાસ અર્થે ભેરારામ માળીની અટકાયત કરી આગળની વધુ તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કરી રહ્યા છે.

આ પણ વાંચો : અંજારના વરસાણા પાટીયે છરીની અણીએ ટ્રક કરી લૂંટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.