ETV Bharat / state

વડોદારાના વેદ એપાર્ટમેન્ટમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી, કોઇ જાનહાની નહીં

author img

By

Published : Aug 8, 2020, 9:52 AM IST

વડોદારાના વાસણા રોડ પર આવેલા વેદ એપાર્ટમેન્ટના એક મકાનમાં આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગને કારણે ધૂમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. આગ લાગી ત્યારે પરિવાર ઘરમાં ઊંઘી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને ગોસાઇ પરિવારના 4 સભ્યોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતાં.

vadodara
વેદ એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ

વડોદરા: વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ પાસેના વેદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા મકાન નં-301માં પંકજગિરી ગોસાઇ પત્ની જયશ્રીબેન, માતા સવિતાબેન અને ફૂવા દાદા ભગવાનગિરી ગોસાઇ સાથે રહે છે. પંકજભાઇ સિવિલ એન્જિનિયર છે. આજે સવારે પરિવારના તમામ સભ્યો ઊંધી રહ્યા હતા. તે સમયે મકાનના ડ્રોઇંગ રૂમમા શોર્ટ સર્કિટને કારણે અચાનક જ આગ લાગી હતી.

આ સમયે પંકજભાઇ વોશરૂમમાં જવા માટે ઉઠ્યા હતા. જેથી તેઓએ ડ્રાઇંગ રૂમમાં લાગેલી આગ જોતા જ બેડરૂમમાં સુતેલા પત્ની અને માતા અને બાજુના રૂમમાં સુતેલા ફૂવા દાદાને જગાડીને બહાર કાઢીને બાલ્કનીમાં બેસાડી દીધા હતાં. આ આગ સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેને પગલે પરિવારમાં દોડધામ મચી ગઇ હતી.

વડોદારાના વાસણા રોડ પર આવેલા વેદ એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી, કોઇ જાનહાનિ નહી

આ ઘટનાની જાણ થતાં સિક્યુરિટી ગાર્ડે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેને પગલે વડીવાડી ફાયર બ્રિગેડના જમાદાર પ્રવિણ સિસોદિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, ત્યારબાદ પરિવારના 4 સભ્યોને ફ્લેટની બહાર કાઢ્યા હતાં. સમયસર આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. મકાન માલિક પંકજગિરી ગોસાઇએ જણાવ્યું હતું કે, હું સવારે ઉઠ્યો તે સમયે ઘરના ડ્રોઇંગ રૂમના સોફામાં લાગેલી આગ જોઇને ચોકી ઉઠ્યો હતો અને મારા પરિવારને ઘરમાં સુરક્ષિત જગ્યાએ મુકી દીધો હતો. જો કે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર આવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અમને બચાવી લીધા હતાં.

વડોદરા: વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ પાસેના વેદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા મકાન નં-301માં પંકજગિરી ગોસાઇ પત્ની જયશ્રીબેન, માતા સવિતાબેન અને ફૂવા દાદા ભગવાનગિરી ગોસાઇ સાથે રહે છે. પંકજભાઇ સિવિલ એન્જિનિયર છે. આજે સવારે પરિવારના તમામ સભ્યો ઊંધી રહ્યા હતા. તે સમયે મકાનના ડ્રોઇંગ રૂમમા શોર્ટ સર્કિટને કારણે અચાનક જ આગ લાગી હતી.

આ સમયે પંકજભાઇ વોશરૂમમાં જવા માટે ઉઠ્યા હતા. જેથી તેઓએ ડ્રાઇંગ રૂમમાં લાગેલી આગ જોતા જ બેડરૂમમાં સુતેલા પત્ની અને માતા અને બાજુના રૂમમાં સુતેલા ફૂવા દાદાને જગાડીને બહાર કાઢીને બાલ્કનીમાં બેસાડી દીધા હતાં. આ આગ સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેને પગલે પરિવારમાં દોડધામ મચી ગઇ હતી.

વડોદારાના વાસણા રોડ પર આવેલા વેદ એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી, કોઇ જાનહાનિ નહી

આ ઘટનાની જાણ થતાં સિક્યુરિટી ગાર્ડે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેને પગલે વડીવાડી ફાયર બ્રિગેડના જમાદાર પ્રવિણ સિસોદિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, ત્યારબાદ પરિવારના 4 સભ્યોને ફ્લેટની બહાર કાઢ્યા હતાં. સમયસર આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. મકાન માલિક પંકજગિરી ગોસાઇએ જણાવ્યું હતું કે, હું સવારે ઉઠ્યો તે સમયે ઘરના ડ્રોઇંગ રૂમના સોફામાં લાગેલી આગ જોઇને ચોકી ઉઠ્યો હતો અને મારા પરિવારને ઘરમાં સુરક્ષિત જગ્યાએ મુકી દીધો હતો. જો કે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર આવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અમને બચાવી લીધા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.