મોરબીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અને હવે અનલોક ચાલી રહ્યું છે. જો કે, તસ્કરો મહામારીમાં પણ સતત કાર્યરત છે અને ચોરીની ઘટના બનતી રહે છે. જેમાં વાવડી રોડ પર અગાસીમાં પરિવાર સુતો હતો અને તસ્કરો ઘરમાંથી રોકડ રકમ અને દાગીના સહિત 1.73 લાખના મત્તાની ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.
![મોરબીના વાવડી રોડ પર એક મકાનમાં તસ્કરો ત્રાટક્યાં, 1.73 લાખની કરી ચોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:41:23:1595139083_gj-mrb-01-vavadi-road-makan-chori-av-gj10004_19072020093322_1907f_1595131402_486.jpg)
મોરબીના વાવડી રોડ પર ઉમિયાપાર્ક અંદર આવેલા સ્વાતીપાર્કના રહેવાસી ઇશાન વિનોદ ચૌહાણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 16 જુલાઇના રાત્રીએ પરિવાર અગાસીમાં સુવા ગયો, ત્યારે મકાનનું તાળું તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના કબાટમાં રાખેલી રોકડ રકમ રૂપિયા 50,000 તેમજ સોનાની હાંસડી સેટ 1 ત્રણ તોલાની અને એક તોલાની વીંટી નંગ 2 આમ કરીને ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1.73 લાખના મત્તા ચોરી કરી ગયા હતાં.
![મોરબીના વાવડી રોડ પર એક મકાનમાં તસ્કરો ત્રાટક્યાં, 1.73 લાખની કરી ચોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:41:23:1595139083_gj-mrb-01-vavadi-road-makan-chori-av-gj10004_19072020093322_1907f_1595131402_486.jpg)
મોરબી સિટી A ડિવીઝન પોલીસે ચોરીના બનાવ અંગે ગુનો નોંધી તપાસ ચલાવી છે અને તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.