ETV Bharat / state

ધોળા દાડે આધેડની હત્યા ! સાયલામાં પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો - MURDER IN SURENDRANAGAR

સુરેન્દ્રનગરના સાયલા ગામમાં પડોશીઓ વચ્ચેની સામાન્ય બોલાચાલીમાં શખ્સોએ આધેડ પર હથિયારોથી હુમલો કરીને હત્યા નિપજાવી હતી.

સુરેન્દ્રનગરના સાયલામાં પડોશીઓ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં આધેડની હત્યા કરાઈ.
સુરેન્દ્રનગરના સાયલામાં પડોશીઓ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં આધેડની હત્યા કરાઈ. (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2025, 9:05 AM IST

સુરેન્દ્રનગર: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના અવારનવાર હત્યા, લૂંટ, મારામારી જેવા કિસ્સાઓ સતત વધી રહ્યા હોય તેમજ આરોપીઓ બેફામ બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી છે.

આધેડ પર હથિયારોથી હુમલો: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના સાયલા ગામમાં 2 પાડોશીઓ વચ્ચે સામાન્ય પ્રસંગ બાબતની બોલાચાલીમાં આધેડ હિંમતભાઈ પંડ્યાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સામાન્ય પ્રસંગ બાબતની બોલાચાલી બાદ હિંમતભાઈ પંડ્યા ઘરની બહાર નીકળ્યા હતા. તેવા જ આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો સાથે આધેડ પર હુમલો કરી દીધો અને આધેડને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

સુરેન્દ્રનગરના સાયલામાં પડોશીઓ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં આધેડની હત્યા કરાઈ. (Etv Bharat Gujarat)

પોલીસે લાશને પીએમ માટે મોકલી: આધેડને પીએમ માટે તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલ ખાતે સગાસંબંધીઓ તેમજ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે. વિસ્તારમાં કોઈ અનીચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. DYSP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:

  1. સુરેન્દ્રનગરના મહિલા નેતાના પતિનો 22 વર્ષની છોકરીએ અશ્લિલ વીડિયો બનાવી લીધો, 10 લાખ માગ્યા
  2. ગ્રાઉન્ડ રિપોર્ટ: થાન નગરપાલિકામાં સ્થાનિકોની શું છે સમસ્યા? ચૂંટણી પહેલાં ETV સમક્ષ લોકો શું બોલ્યા?

સુરેન્દ્રનગર: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના અવારનવાર હત્યા, લૂંટ, મારામારી જેવા કિસ્સાઓ સતત વધી રહ્યા હોય તેમજ આરોપીઓ બેફામ બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી છે.

આધેડ પર હથિયારોથી હુમલો: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના સાયલા ગામમાં 2 પાડોશીઓ વચ્ચે સામાન્ય પ્રસંગ બાબતની બોલાચાલીમાં આધેડ હિંમતભાઈ પંડ્યાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સામાન્ય પ્રસંગ બાબતની બોલાચાલી બાદ હિંમતભાઈ પંડ્યા ઘરની બહાર નીકળ્યા હતા. તેવા જ આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો સાથે આધેડ પર હુમલો કરી દીધો અને આધેડને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

સુરેન્દ્રનગરના સાયલામાં પડોશીઓ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં આધેડની હત્યા કરાઈ. (Etv Bharat Gujarat)

પોલીસે લાશને પીએમ માટે મોકલી: આધેડને પીએમ માટે તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલ ખાતે સગાસંબંધીઓ તેમજ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે. વિસ્તારમાં કોઈ અનીચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. DYSP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:

  1. સુરેન્દ્રનગરના મહિલા નેતાના પતિનો 22 વર્ષની છોકરીએ અશ્લિલ વીડિયો બનાવી લીધો, 10 લાખ માગ્યા
  2. ગ્રાઉન્ડ રિપોર્ટ: થાન નગરપાલિકામાં સ્થાનિકોની શું છે સમસ્યા? ચૂંટણી પહેલાં ETV સમક્ષ લોકો શું બોલ્યા?
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.