ETV Bharat / state

સુરતમાં પરપ્રાંતિયો રસ્તા પર ઉતરી આવ્યા, ભીડને કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસ છોડ્યા

ઈચ્છાપોર સ્થિત આવેલા મોરાગામમાં જ પરપ્રાંતીય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વતન જવાની માગ સાથે પરપ્રાંતીય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ પર પત્થરમારો કર્યો હતો. બીજી તરફ પરિસ્થિતીને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના ચાર સેલ પણ છોડ્યા હતા.

author img

By

Published : May 9, 2020, 3:19 PM IST

પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવ્યા
પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવ્યા

સુરત : જિલ્લામાં દિવસેને દિવસે શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે, ત્યારે ફરી એક વખત શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની માંગણી હતી કે એક મહિનાનો બાકી પગાર આપવામાં આવે સાથે જ વતન જવાની વ્યવસ્થા પણ કરવામાં આવે. જોકે તેમની માગ નહીં સંતોષાતાં આજે શનિવારે સવારે મોરાગામ ખાતે વતન જવાની માગ સાથે હજારોની સંખ્યામાં શ્રમિકો રસ્તે ઉતરી આવ્યા હતા.

પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવ્યા
રોષે ભરાયેલા શ્રમિકોએ પોલીસ અને ગાડીઓ પર પત્થરમારો પણ કર્યો હતો. જો કે પરિસ્થિતિ કાબુની બહાર જાય તે પહેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. શ્રમિકોએ રોષમાં આવી પોલીસ પર પત્થરમારો પણ કર્યો હતો. તો બીજી તરફ પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ દ્વારા લાઠીચાર્જ સહિત ટીયરગેસના સેલ છોડાયા હતા. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે લોકોને સમજાવ્યા હતા, પરંતુ શ્રમિકો નહીં માનતા આખરે પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયરગેસના ચાર સેલ પણ છોડવામાં આવ્યા હતા.આ ઘટનામાં પોલીસે 150 શ્રમજીવીઓની અટકાયત કરી હતી તો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સુરતના જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી.એન.પટેલે જણાવ્યું હતું કે આ તમામ શ્રમિકોને તેમના ગામ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ શ્રમિકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જોકે તેમના વતન માટેની હાલ ટ્રેન મંજુર ન હોવાના કારણે આ મુશ્કેલીઓ આવી રહી છે. જેવી ટ્રેન મંજૂર થાય એટલે તુરંત જ તમામ લોકોને તેમના વતન મોકલી આપવામાં આવશે.

સુરત : જિલ્લામાં દિવસેને દિવસે શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે, ત્યારે ફરી એક વખત શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની માંગણી હતી કે એક મહિનાનો બાકી પગાર આપવામાં આવે સાથે જ વતન જવાની વ્યવસ્થા પણ કરવામાં આવે. જોકે તેમની માગ નહીં સંતોષાતાં આજે શનિવારે સવારે મોરાગામ ખાતે વતન જવાની માગ સાથે હજારોની સંખ્યામાં શ્રમિકો રસ્તે ઉતરી આવ્યા હતા.

પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવ્યા
રોષે ભરાયેલા શ્રમિકોએ પોલીસ અને ગાડીઓ પર પત્થરમારો પણ કર્યો હતો. જો કે પરિસ્થિતિ કાબુની બહાર જાય તે પહેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. શ્રમિકોએ રોષમાં આવી પોલીસ પર પત્થરમારો પણ કર્યો હતો. તો બીજી તરફ પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ દ્વારા લાઠીચાર્જ સહિત ટીયરગેસના સેલ છોડાયા હતા. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે લોકોને સમજાવ્યા હતા, પરંતુ શ્રમિકો નહીં માનતા આખરે પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયરગેસના ચાર સેલ પણ છોડવામાં આવ્યા હતા.આ ઘટનામાં પોલીસે 150 શ્રમજીવીઓની અટકાયત કરી હતી તો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સુરતના જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી.એન.પટેલે જણાવ્યું હતું કે આ તમામ શ્રમિકોને તેમના ગામ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ શ્રમિકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જોકે તેમના વતન માટેની હાલ ટ્રેન મંજુર ન હોવાના કારણે આ મુશ્કેલીઓ આવી રહી છે. જેવી ટ્રેન મંજૂર થાય એટલે તુરંત જ તમામ લોકોને તેમના વતન મોકલી આપવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.