પાટણ: શહેરમાં 21 જૂનના રોજ લોકોએ સૂર્ય ગ્રહણનો નજારો નિહાળ્યો હતો. ખગોળીય ઘટના જોવા માટે શહેરના પ્રથમ નાગરિક મહેન્દ્ર પટેલ, એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ધનરાજ ઠક્કર સહિત પ્રબુદ્ધ નાગરિકોએ એકસ રે ફિલ્મ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતેથી સૂર્ય ગ્રહણ નિહાળ્યું હતું.
પાટણમાં લોકોએ સૂર્ય ગ્રહણનો નજારો નિહાળ્યો
પાટણમાં 21 જૂનના રોજ લોકોએ સૂર્ય ગ્રહણનો નજારો નિહાળ્યો હતો. ખગોળીય ઘટના જોવા માટે શહેરના પ્રથમ નાગરિક મહેન્દ્ર પટેલ, એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ધનરાજ ઠક્કર સહિત પ્રબુદ્ધ નાગરિકોએ એકસ રે ફિલ્મ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતેથી સૂર્ય ગ્રહણ નિહાળ્યું હતું.
![પાટણમાં લોકોએ સૂર્ય ગ્રહણનો નજારો નિહાળ્યો solar eclipse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7710406-770-7710406-1592734695986.jpg?imwidth=3840)
રવિવારે સવારે ગ્રહણનો સ્પર્શ સૂર્યને થતાં સૂર્ય ગ્રહણની શરૂઆત થઈ હતી. ઘણા વર્ષો બાદ જોવા મળતી આ ઘટનાનો નજારો જોવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો અગાસી તેમજ ઘરની બહાર અને માર્ગો પર એક્સ રે ફિલ્મ વડે આ ખગોળીય નજારો નિહાળ્યો હતો.
![solar eclipse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7710406_patanfffff.jpg)
શહેરના જગદીશ મંદિર સહિતના મંદિરો આજે બંધ રહેતાં ધાર્મિક વિધિ પણ સૂર્ય ગ્રહણના કારણે બંધ રહી હતી, જ્યારે લોકોએ ધરોમાં ખાવા-પીવાની વસ્તુઓ પર પણ પ્રતિબંધ લાદી ગ્રહણ બાદ ભોજન લેવાનું નક્કી કર્યું હતું. પીવાના પાણીના વાસણોમાં ભરેલું પાણી ગ્રહણ બાદ ખાલી કરી નવું પાણી ભરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકા પ્રમુખે પણ પોતાના મિત્રો સાથે બગવાડા દરવાજા ખાતેથી વર્ષની પ્રથમ અને સૌથી મોટી આ ખગોળીય ઘટનાને નિહાળી હતી.
પાટણ: શહેરમાં 21 જૂનના રોજ લોકોએ સૂર્ય ગ્રહણનો નજારો નિહાળ્યો હતો. ખગોળીય ઘટના જોવા માટે શહેરના પ્રથમ નાગરિક મહેન્દ્ર પટેલ, એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ધનરાજ ઠક્કર સહિત પ્રબુદ્ધ નાગરિકોએ એકસ રે ફિલ્મ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતેથી સૂર્ય ગ્રહણ નિહાળ્યું હતું.
રવિવારે સવારે ગ્રહણનો સ્પર્શ સૂર્યને થતાં સૂર્ય ગ્રહણની શરૂઆત થઈ હતી. ઘણા વર્ષો બાદ જોવા મળતી આ ઘટનાનો નજારો જોવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો અગાસી તેમજ ઘરની બહાર અને માર્ગો પર એક્સ રે ફિલ્મ વડે આ ખગોળીય નજારો નિહાળ્યો હતો.
![solar eclipse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7710406_patanfffff.jpg)
શહેરના જગદીશ મંદિર સહિતના મંદિરો આજે બંધ રહેતાં ધાર્મિક વિધિ પણ સૂર્ય ગ્રહણના કારણે બંધ રહી હતી, જ્યારે લોકોએ ધરોમાં ખાવા-પીવાની વસ્તુઓ પર પણ પ્રતિબંધ લાદી ગ્રહણ બાદ ભોજન લેવાનું નક્કી કર્યું હતું. પીવાના પાણીના વાસણોમાં ભરેલું પાણી ગ્રહણ બાદ ખાલી કરી નવું પાણી ભરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકા પ્રમુખે પણ પોતાના મિત્રો સાથે બગવાડા દરવાજા ખાતેથી વર્ષની પ્રથમ અને સૌથી મોટી આ ખગોળીય ઘટનાને નિહાળી હતી.