ETV Bharat / state

પાટણની જરૂસા માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને નુકશાન

author img

By

Published : Jul 12, 2020, 10:24 PM IST

પાટણ જીલ્લાના છેવાડે આવેલા સાંતલપુર તાલુકાના કડા ગામ નજીકથી પસાર થતી જરુસા માઈનોર 1 કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું . છેલ્લા ત્રણેક વરસથી જર્જરીત થયેલી કેનાલના સમારકામ માટે ખેડૂતો દ્વારા નિગમના ઉચ્ચ અધિકારીઓ સુધી રજુઆત કરવા છતા કેનાલ રીપેરીંગ કરવામાં ન આવતા ગાબડું પડયુ હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું .

પાટણની જરૂસા માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને નુકશાન
પાટણની જરૂસા માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને નુકશાન

પાટણ: સાંતલપુર તાલુકાના ઝકડા ગામ નજીકથી પસાર થતી જરુસા માઈનોર -1 કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલમાં પાંચ ફુટ મોટું ગાબડું પડ્યું હતું . કેનાલમાં ગાબડું પડતાં કેનાલની બાજુમાં આવેલા ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું હતું .

અહીં ખેતર ધરાવતા ખેડૂત મથાભાઈ નારણભાઈ ચૌધરીના જણાવ્યાનુસાર જાપા માઈનોર -1 કેનાલની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો છે જેના કારણે છેલ્લા ત્રણેક વરસથી કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે અમારા ખેતર નજીક કેનાલમાં ગાબડા પડે છે જેના કારણે અમારે નુકશાની વેઠવી પડે છે .

કેનાલના કામોમાં ગુણવત્તા ન જળવાઈ હોવાને કારણે ત્રણેક વરસથી જર્જરીત થયેલી કેનાલ બાબતે નિગમના તમામ અધિકારીઓને લેખીતમાં રજુઆત કરી હોવા છતા નિગમના અધિકારીઓ દ્વારા આજસુધી કેનાલના રીપેરીંગ બાબતે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ગાબડાં પડતાં ખેડૂતોના પાકને નુકશાન થાય છે.

રણને અડીને આવેલા સાંતલપુર તાલુકામાં વરસાદ ઓછો પડતો હોવાને કારણે સરકારે સિંચાઇ માટે નર્મદાની કેનાલો બનાવી છે પરંતુ નર્મદા નિગમ દ્વારા તાલુકામાં બનાવવામાં આવેલ કેનાલોમાં વખતો વખત પડતા ગાબડાને કારણે આ વિસ્તારના ખેડૂતો માટે નર્મદાની કેનાલો અભિશાપ બનવા પામી છે . કેનાલના સમારકામ માટે ત્રણ વરસથી રજુઆતો કરવા છતા જાપા માઈનોર કેનાલની કામગીરીમાં આચરવામાં આવેલી ગેરરીતીને કારણે છેલ્લા કેટલાય વરસથી કેનાલ જર્જરીત થવા પામી છે . જેના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે મોટા મોટા ગાબડા પડવાને કારણે ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થાય છે.

પાટણ: સાંતલપુર તાલુકાના ઝકડા ગામ નજીકથી પસાર થતી જરુસા માઈનોર -1 કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલમાં પાંચ ફુટ મોટું ગાબડું પડ્યું હતું . કેનાલમાં ગાબડું પડતાં કેનાલની બાજુમાં આવેલા ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું હતું .

અહીં ખેતર ધરાવતા ખેડૂત મથાભાઈ નારણભાઈ ચૌધરીના જણાવ્યાનુસાર જાપા માઈનોર -1 કેનાલની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો છે જેના કારણે છેલ્લા ત્રણેક વરસથી કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે અમારા ખેતર નજીક કેનાલમાં ગાબડા પડે છે જેના કારણે અમારે નુકશાની વેઠવી પડે છે .

કેનાલના કામોમાં ગુણવત્તા ન જળવાઈ હોવાને કારણે ત્રણેક વરસથી જર્જરીત થયેલી કેનાલ બાબતે નિગમના તમામ અધિકારીઓને લેખીતમાં રજુઆત કરી હોવા છતા નિગમના અધિકારીઓ દ્વારા આજસુધી કેનાલના રીપેરીંગ બાબતે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ગાબડાં પડતાં ખેડૂતોના પાકને નુકશાન થાય છે.

રણને અડીને આવેલા સાંતલપુર તાલુકામાં વરસાદ ઓછો પડતો હોવાને કારણે સરકારે સિંચાઇ માટે નર્મદાની કેનાલો બનાવી છે પરંતુ નર્મદા નિગમ દ્વારા તાલુકામાં બનાવવામાં આવેલ કેનાલોમાં વખતો વખત પડતા ગાબડાને કારણે આ વિસ્તારના ખેડૂતો માટે નર્મદાની કેનાલો અભિશાપ બનવા પામી છે . કેનાલના સમારકામ માટે ત્રણ વરસથી રજુઆતો કરવા છતા જાપા માઈનોર કેનાલની કામગીરીમાં આચરવામાં આવેલી ગેરરીતીને કારણે છેલ્લા કેટલાય વરસથી કેનાલ જર્જરીત થવા પામી છે . જેના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે મોટા મોટા ગાબડા પડવાને કારણે ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.