ETV Bharat / state

પંચમહાલ જિલ્લામાં આર્ટિકલ-15 ફિલ્મ સામે સમસ્ત બ્રહ્મસમાજનો વિરોધ

પંચમહાલઃ સમસ્ત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષાના નેજા હેઠળ પંચમહાલ જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આગામી સમયમાં રિલીઝ થનારી ફિલ્મ આર્ટિકલ-15 ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં રિલીઝ ન થાય તેવી માંગ કરવામાં આવી હતી.

author img

By

Published : Jun 25, 2019, 9:00 AM IST

Panchmahal

આગામી 28 જૂને ફિલ્મ કલાકાર આયુષમાન ખુરાનાની આર્ટિકલ-15 ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પંચમહાલ જિલ્લાના એક પણ સિનેમાઘરમાં રિલીઝ ન થાય તેવી માંગણી સાથે સોમવારે પંચમહાલ બ્રાહ્મણ સમાજ દ્વારા જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ફિલ્મ આર્ટિકલ-15 રીલિઝ ન કરવા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કલેક્ટરને આવેદન

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, આ ફિલ્મની સ્ટોરી સત્યથી વેગળી છે. ફિલ્મમાં બે દલિત બાળકીઓનો બળાત્કાર થાય છે અને બળાત્કારીને બ્રાહ્મણ બતાવવામાં આવી રહ્યાં છે. જ્યારે 27 જૂન 2014માં ઘટેલી આ પ્રકારની ઘટનામાં બળાત્કારીઓ અન્ય સમાજના હતા. તેઓને સજા પણ આપવામાં આવી હતી.

આમ હિન્દુ સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો થાય એવા પ્રકારની ફિલ્મ હોવાથી પંચમહાલ જિલ્લાના એક પણ સિનેમાઘરમાં આ ફિલ્મ રીલિઝ ન થાય તેવી માંગણી આવેદનપત્ર પાઠવીને કલેકટર સમક્ષ કરવામાં આવી હતી. તેમજ કાશ્મીરી પંડિતોનું પુનર્વસન થાય એવી માંગણી કરવામાં આવી હતી.

આગામી 28 જૂને ફિલ્મ કલાકાર આયુષમાન ખુરાનાની આર્ટિકલ-15 ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પંચમહાલ જિલ્લાના એક પણ સિનેમાઘરમાં રિલીઝ ન થાય તેવી માંગણી સાથે સોમવારે પંચમહાલ બ્રાહ્મણ સમાજ દ્વારા જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ફિલ્મ આર્ટિકલ-15 રીલિઝ ન કરવા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કલેક્ટરને આવેદન

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, આ ફિલ્મની સ્ટોરી સત્યથી વેગળી છે. ફિલ્મમાં બે દલિત બાળકીઓનો બળાત્કાર થાય છે અને બળાત્કારીને બ્રાહ્મણ બતાવવામાં આવી રહ્યાં છે. જ્યારે 27 જૂન 2014માં ઘટેલી આ પ્રકારની ઘટનામાં બળાત્કારીઓ અન્ય સમાજના હતા. તેઓને સજા પણ આપવામાં આવી હતી.

આમ હિન્દુ સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો થાય એવા પ્રકારની ફિલ્મ હોવાથી પંચમહાલ જિલ્લાના એક પણ સિનેમાઘરમાં આ ફિલ્મ રીલિઝ ન થાય તેવી માંગણી આવેદનપત્ર પાઠવીને કલેકટર સમક્ષ કરવામાં આવી હતી. તેમજ કાશ્મીરી પંડિતોનું પુનર્વસન થાય એવી માંગણી કરવામાં આવી હતી.


   સમસ્ત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા ના નેજા હેઠળ   પંચમહાલ જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા આજે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી આગામી સમયમાં રિલીઝ થનારી ફિલ્મ આર્ટિકલ-૧૫ નામ ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં રિલીઝ ન થાય તેવી માંગ કરી હતી


     આગામી ૨૮ જૂને ફિલ્મ કલાકાર આયુષમાન ખુરાના ની આર્ટિકલ-૧૫ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જે ફિલ્મ પંચમહાલ જિલ્લાના એક પણ સીનેમાંઘર માં રિલીઝ ન થાય તેવી માંગણી આજે પંચમહાલ બ્રાહ્મણ સમાજ દ્વારા આજે જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ ને આવેદનપત્ર આપી કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ ની સ્ટોરી સત્યથી વેગળી છે, ફિલ્મમાં બે દલિત બાળકીઓનો બળાત્કાર થાય છે અને બળાત્કારી ને બ્રાહ્મણ બતાવવામાં આવી રહ્યા છે , જ્યારે ૨૭ જૂન ૨૦૧૪ માં ઘટેલી આ પ્રકારની ઘટનામાં બળાત્કારીઓ અન્ય સમાજના હતા અને તેઓને સજા પણ આપવામાં આવી હતી, આમ હિન્દુ સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો થાય એ પ્રકારની આ ફિલ્મ હોઈ પંચમહાલ જિલ્લાના એક પણ સિનેમાઘર માં આ ફિલ્મ રિલીઝ ન થાય તેવી માંગણી આવેદનપત્ર દ્વારા કલેકટર સમક્ષ કરવામાં આવી હતી.તેમજ કાશ્મીરી પંડિતો નું પુનર્વસન થાય એવી માંગણી કરી હતી.
કંદર્પ પંડ્યા 
પંચમહાલ
વિડિઓ અને બાયટ ftp કરેલ છે .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.