ETV Bharat / state

દ્વારકામાં બે ટાપુની માલિકી હોવાની વકફ બોર્ડની હાઈકોર્ટમાં અરજી બાબતે હિન્દુ યુવા વહિનીના અધ્યક્ષે આપી પ્રતિક્રિયા

author img

By

Published : Dec 28, 2021, 7:11 AM IST

દ્વારકા જિલ્લામાં આવેલા બેટ દ્વારકામાં ટાપુઓ પર વકફ બોર્ડ દ્વારા માલિકી હોવાની હાઈકોર્ટમાં અરજી (Wakf Board application to High Court) કરવામાં આવી હતી, જેની સુનાવણીમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને ટકોર કરી હતી કે, તમે શું બોલો છો તેનું કઈ ભાન છે ? કૃષ્ણનગરીમાં વકફ બોર્ડ કમિટી જમીનનો દાવો કેવી રીતે કરી શકે? આ બાબતે સોમવારે ભુજમાં હિન્દુ યુવા વાહિની ગુજરાત રાજ્યના અધ્યક્ષ (Hindu Yuva Vahini chairperson) યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) પ્રતિક્રિયા આપી હતી અને આ કાયદો રદ્દ કરવાની વાત કરી હતી અને હાઈકોર્ટનો પણ આભાર માન્યો હતો.

Hindu Yuva Vahini chairperson
Hindu Yuva Vahini chairperson

કચ્છ: હાઈકોર્ટમાં વકફ બોર્ડ દ્વારા અરજી (Wakf Board application to High Court) કરવામાં આવી હતી કે, બેટ દ્વારકાના 2 ટાપુની જમીન મૂળ વકફ બોર્ડની છે. આ દલીલ સાંભળીને હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી અને અરજી સાંભળવાનો ઇનકાર કરીને વેકેશન કોર્ટમાં રજૂઆત કરવા આદેશ કર્યો હતો. વકફ બોર્ડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં બેટ દ્વારકામાં આવેલા નાના કુલ આઠ ટાપુઓમાંથી બે ટાપુની જમીન પર વકફ કમિટી દ્વારા માલિકીનો દાવો કરતી અરજીઓ કરવામાં આવી હતી. સોમવારે ભુજ ખાતે હિન્દુ યુવા વાહિની (Hindu Yuva Vahini chairperson) ગુજરાત રાજ્યના અધ્યક્ષ યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) પ્રતિક્રિયા આપીને સરકારને આ વકફ બોર્ડના કાનૂનને રદ્દ કરવા અપીલ કરી હતી.

વકફ બોર્ડ દ્વારા દ્વારકામાં બે ટાપુની માલિકી હોવાની હાઇકોર્ટમાં કરાયેલી અરજી બાબતે હિન્દુ યુવા વહિનીના અધ્યક્ષે આપી પ્રતિક્રિયા

વકફ બોર્ડ કહેશે કે રાષ્ટ્રપતિ ભવન અમારું છે તો શું સાબિત કરવું પડશે ? : યોગી દેવનાથ બાપુ

યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વકફ બોર્ડની આ અરજી હાઈકોર્ટે (Wakf Board application to High Court) ફગાવી દીધી છે અને આ દ્વારકાની ભૂમિએ હિન્દુ સમજના લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે અને 5000 વર્ષ પૂર્વેનું આ સ્થળ છે. તેના પર તમારી માલિકી ન હોઈ શકે. વકફ બોર્ડનો UPA એક્ટ 2 2013ની અંદર મનમોહન સિંહની સરકારે કાયદો લાવ્યો અને કાયદાની અંદર એવું જાહેર કરાયું કે વકફ બોર્ડ દોઢ રૂપિયાનું પાનું લઈ અને લખે કે આ વસ્તુ મારી છે તો જેનું મલિકીપણું છે તેમને તે સાબિત કરવું પડે કે આ તેમની છે નહીં કે વકફ બોર્ડની. કાલે ઉઠીને જો વકફ બોર્ડ એમ કહે કે રાષ્ટ્રપતિ ભવન તેમનું છે તો રાષ્ટ્રપતિને સાબિત કરવું પડે કે રાષ્ટ્રપતિ ભવન તેમનું છે. વકફ બોર્ડ એમ કહેશે કે આ રાજ્યસભા, વિધાનસભા અમારી છે તો શું વિધાનસભા અને રાજ્યસભાન સાબિતી અપાવી પડશે કે તે તેમની છે.

વકફ બોર્ડનો કાયદો ઝડપથી સરકાર રદ્દ કરે એજ અપીલ: યોગી દેવનાથ બાપુ

યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) સરકારને અપીલ કરી હતી કે આ સમાજને હેરાન કરવા માટે હિન્દુ ધર્મ અને અન્ય ધર્મોની લાગણીને દુભાવવા માટે વકફ બોર્ડને કાળો કાયદો હાથે મળી ગયો છે. તે ઝડપથી રદ્દ થવો જોઈએ. આવનારા સમયમાં તમામ સાધુ સંતો દ્વારા તથા અન્ય સમાજ સાથે મળીને અરજીરૂપે આંદોલન પણ કરવામાં આવશે. કારણ કે અન્ય સમાજના શોષણ માટે આ કાયદો ઘડાયેલો છે. આજે હિન્દુ સમાજના શ્રધ્ધાના કેન્દ્ર દ્વારકા પર દાવો કર્યો છે, કાલે ઊઠીને અન્ય ધાર્મિક સ્થળો પર અરજીઓ કરશે કે તે તેમના છે તો આ બાબત આગળ ન વધે એકબીજા સમાજની અંદર ઝઘડાઓ ન થાય તે માટે આ કાયદો છે તે રદ્દ થવો જોઈએ. આ હિન્દુ સમાજના ધાર્મિક સ્થળ અંગેનો દાવો તો હાઇકોર્ટે ફગાવી દીધો છે પરંતુ ન માત્ર હિન્દુ ધર્મ પરંતુ Christian, શીખ તેમજ અન્ય સમાજ અને ધર્મના લોકોને પણ આ લાગુ પડે છે. કારણ કે આ તમામ સમાજ માટે દુઃખદાયી છે, પરેશાની તથા પીડા આપે તેવો છે માટે સરકાર દ્વારા આ કાયદો રદ્દ કરવામાં આવે તેવી માગ છે.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: આમરણાંત ઉપવાસ પર બેઠેલા AAPના નેતા મહેશ સવાણીની તબિયત લથડી

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે હત્યાના કેસમાં 10 વર્ષથી જેલ ભોગવી રહેલી મહિલાની સજા કરી માફ

કચ્છ: હાઈકોર્ટમાં વકફ બોર્ડ દ્વારા અરજી (Wakf Board application to High Court) કરવામાં આવી હતી કે, બેટ દ્વારકાના 2 ટાપુની જમીન મૂળ વકફ બોર્ડની છે. આ દલીલ સાંભળીને હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી અને અરજી સાંભળવાનો ઇનકાર કરીને વેકેશન કોર્ટમાં રજૂઆત કરવા આદેશ કર્યો હતો. વકફ બોર્ડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં બેટ દ્વારકામાં આવેલા નાના કુલ આઠ ટાપુઓમાંથી બે ટાપુની જમીન પર વકફ કમિટી દ્વારા માલિકીનો દાવો કરતી અરજીઓ કરવામાં આવી હતી. સોમવારે ભુજ ખાતે હિન્દુ યુવા વાહિની (Hindu Yuva Vahini chairperson) ગુજરાત રાજ્યના અધ્યક્ષ યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) પ્રતિક્રિયા આપીને સરકારને આ વકફ બોર્ડના કાનૂનને રદ્દ કરવા અપીલ કરી હતી.

વકફ બોર્ડ દ્વારા દ્વારકામાં બે ટાપુની માલિકી હોવાની હાઇકોર્ટમાં કરાયેલી અરજી બાબતે હિન્દુ યુવા વહિનીના અધ્યક્ષે આપી પ્રતિક્રિયા

વકફ બોર્ડ કહેશે કે રાષ્ટ્રપતિ ભવન અમારું છે તો શું સાબિત કરવું પડશે ? : યોગી દેવનાથ બાપુ

યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વકફ બોર્ડની આ અરજી હાઈકોર્ટે (Wakf Board application to High Court) ફગાવી દીધી છે અને આ દ્વારકાની ભૂમિએ હિન્દુ સમજના લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે અને 5000 વર્ષ પૂર્વેનું આ સ્થળ છે. તેના પર તમારી માલિકી ન હોઈ શકે. વકફ બોર્ડનો UPA એક્ટ 2 2013ની અંદર મનમોહન સિંહની સરકારે કાયદો લાવ્યો અને કાયદાની અંદર એવું જાહેર કરાયું કે વકફ બોર્ડ દોઢ રૂપિયાનું પાનું લઈ અને લખે કે આ વસ્તુ મારી છે તો જેનું મલિકીપણું છે તેમને તે સાબિત કરવું પડે કે આ તેમની છે નહીં કે વકફ બોર્ડની. કાલે ઉઠીને જો વકફ બોર્ડ એમ કહે કે રાષ્ટ્રપતિ ભવન તેમનું છે તો રાષ્ટ્રપતિને સાબિત કરવું પડે કે રાષ્ટ્રપતિ ભવન તેમનું છે. વકફ બોર્ડ એમ કહેશે કે આ રાજ્યસભા, વિધાનસભા અમારી છે તો શું વિધાનસભા અને રાજ્યસભાન સાબિતી અપાવી પડશે કે તે તેમની છે.

વકફ બોર્ડનો કાયદો ઝડપથી સરકાર રદ્દ કરે એજ અપીલ: યોગી દેવનાથ બાપુ

યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) સરકારને અપીલ કરી હતી કે આ સમાજને હેરાન કરવા માટે હિન્દુ ધર્મ અને અન્ય ધર્મોની લાગણીને દુભાવવા માટે વકફ બોર્ડને કાળો કાયદો હાથે મળી ગયો છે. તે ઝડપથી રદ્દ થવો જોઈએ. આવનારા સમયમાં તમામ સાધુ સંતો દ્વારા તથા અન્ય સમાજ સાથે મળીને અરજીરૂપે આંદોલન પણ કરવામાં આવશે. કારણ કે અન્ય સમાજના શોષણ માટે આ કાયદો ઘડાયેલો છે. આજે હિન્દુ સમાજના શ્રધ્ધાના કેન્દ્ર દ્વારકા પર દાવો કર્યો છે, કાલે ઊઠીને અન્ય ધાર્મિક સ્થળો પર અરજીઓ કરશે કે તે તેમના છે તો આ બાબત આગળ ન વધે એકબીજા સમાજની અંદર ઝઘડાઓ ન થાય તે માટે આ કાયદો છે તે રદ્દ થવો જોઈએ. આ હિન્દુ સમાજના ધાર્મિક સ્થળ અંગેનો દાવો તો હાઇકોર્ટે ફગાવી દીધો છે પરંતુ ન માત્ર હિન્દુ ધર્મ પરંતુ Christian, શીખ તેમજ અન્ય સમાજ અને ધર્મના લોકોને પણ આ લાગુ પડે છે. કારણ કે આ તમામ સમાજ માટે દુઃખદાયી છે, પરેશાની તથા પીડા આપે તેવો છે માટે સરકાર દ્વારા આ કાયદો રદ્દ કરવામાં આવે તેવી માગ છે.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: આમરણાંત ઉપવાસ પર બેઠેલા AAPના નેતા મહેશ સવાણીની તબિયત લથડી

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે હત્યાના કેસમાં 10 વર્ષથી જેલ ભોગવી રહેલી મહિલાની સજા કરી માફ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.