ETV Bharat / state

રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે લીધી ડાકોરની મુલાકાત, અધિકારીઓ સાથે યોજી બેઠક - યાત્રાધામ ડાકોર

ખેડા: જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે રવિવારે નર્મદા, શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશભાઈ પટેલે ડાકોરની મુલાકાત લઈ શહેરની સ્વચ્છતા અને ડાકોરની વિવિધ સમસ્યાઓની રજૂઆતો સંદર્ભે ઠાસરા તાલુકાના અને ડાકોરના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત ભગવાન રણછોડરાયજીના દર્શન કરી પૂજા-અર્ચના પણ કરી હતી.

dakor
author img

By

Published : Sep 22, 2019, 5:12 PM IST

Updated : Sep 22, 2019, 6:17 PM IST

ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવા છતાં ડાકોર શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ ખાડે ગયેલી જોવા મળે છે. ડાકોરમાં ગેરકાયદેસર કતલખાના અને માંસાહાર પીરસતી હાટડીઓ અને હોટલો ધમધમે છે. આ ઉપરાંત સામાન્ય વરસાદમાં પણ રણછોડરાયજી મંદિર સહિતના વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યા છે. ડાકોરમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણો બાબતે ડાકોરના જાગૃતજનો અને હોદ્દેદારો સહિત પદાધિકારીઓ દ્વારા અનેક વખત ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલા નહીં ભરાતા ડાકોરની વિકટ સમસ્યાઓની પરિસ્થિતિ જેસે થે જેવી છે. રવિવારે શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે ડાકોરની મુલાકાત લીધી હતી. શહેરમાં સ્વચ્છતાની પરિસ્થિતિને લઇને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે લીધી ડાકોરની મુલાકાત

મહત્વનું છે કે, સામાન્ય વરસાદમાં પણ રણછોડરાયજી મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં ગંદકીની કાયમી સમસ્યા છે. ગોમતીના ડેવલપમેન્ટમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગોમતી તળાવના શુદ્ધિકરણ બાબતે પણ ડાકોર નગરમાં વ્યાપક રોષ પ્રવર્ત્યો છે. ઉપરાંત શહેરના આંતરિક રસ્તાઓ પર ગંદકી અને જાહેર માર્ગોની બિસ્માર હાલતમાં છે. આ ઉપરાંત ડાકોરને કપડવંજ સાથે જોડતો હાઇવે પણ ખખડધજ હાલતમાં છે. આ વિવિધ સમસ્યાઓની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યા એની એ જ છે. રવિવારે રાજ્યના પ્રધાને આ અંગે સ્થાનિક સંગઠન અને સિનિયર આગેવાનોએ રજૂઆત કરી હતી. ડાકોરની વિકટ અને વણ ઉકેલાયેલ કાયમી સમસ્યાના નિવારણ માટે માગ કરવામાં આવી હતી. જેને લઇ રાજ્યપ્રધાન યોગેશ પટેલ દ્વારા આ તમામ સમસ્યાઓ સાંભળી તેના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી.

ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવા છતાં ડાકોર શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ ખાડે ગયેલી જોવા મળે છે. ડાકોરમાં ગેરકાયદેસર કતલખાના અને માંસાહાર પીરસતી હાટડીઓ અને હોટલો ધમધમે છે. આ ઉપરાંત સામાન્ય વરસાદમાં પણ રણછોડરાયજી મંદિર સહિતના વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યા છે. ડાકોરમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણો બાબતે ડાકોરના જાગૃતજનો અને હોદ્દેદારો સહિત પદાધિકારીઓ દ્વારા અનેક વખત ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલા નહીં ભરાતા ડાકોરની વિકટ સમસ્યાઓની પરિસ્થિતિ જેસે થે જેવી છે. રવિવારે શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે ડાકોરની મુલાકાત લીધી હતી. શહેરમાં સ્વચ્છતાની પરિસ્થિતિને લઇને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે લીધી ડાકોરની મુલાકાત

મહત્વનું છે કે, સામાન્ય વરસાદમાં પણ રણછોડરાયજી મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં ગંદકીની કાયમી સમસ્યા છે. ગોમતીના ડેવલપમેન્ટમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગોમતી તળાવના શુદ્ધિકરણ બાબતે પણ ડાકોર નગરમાં વ્યાપક રોષ પ્રવર્ત્યો છે. ઉપરાંત શહેરના આંતરિક રસ્તાઓ પર ગંદકી અને જાહેર માર્ગોની બિસ્માર હાલતમાં છે. આ ઉપરાંત ડાકોરને કપડવંજ સાથે જોડતો હાઇવે પણ ખખડધજ હાલતમાં છે. આ વિવિધ સમસ્યાઓની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યા એની એ જ છે. રવિવારે રાજ્યના પ્રધાને આ અંગે સ્થાનિક સંગઠન અને સિનિયર આગેવાનોએ રજૂઆત કરી હતી. ડાકોરની વિકટ અને વણ ઉકેલાયેલ કાયમી સમસ્યાના નિવારણ માટે માગ કરવામાં આવી હતી. જેને લઇ રાજ્યપ્રધાન યોગેશ પટેલ દ્વારા આ તમામ સમસ્યાઓ સાંભળી તેના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી.

Intro:Aprvd by Desk
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજરોજ નર્મદા, શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશભાઈ પટેલે ડાકોરની મુલાકાત લઈ શહેરની સ્વચ્છતા અને ડાકોરની વિવિધ સમસ્યાઓની મળેલ રજૂઆતો સંદર્ભે ઠાસરા તાલુકાના અને ડાકોરના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. સાથે ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.


Body:ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવા છતાં ડાકોર શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ ખાડે ગયેલી જોવા મળી રહી છે.ડાકોરમાં ગેરકાયદેસર કતલખાના અને માંસાહાર પીરસતી હાટડીઓ અને હોટલો ધમધમે છે.આ ઉપરાંત સામાન્ય વરસાદમાં પણ રણછોડરાયજી મંદિર સહિતના વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યા છે. તેમજ ડાકોરમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણો બાબતે ડાકોરના જાગૃતજનો અને હોદ્દેદારો સહિત પદાધિકારીઓ દ્વારા અનેક વખત ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલા નહીં ભરાતા ડાકોરની વિકટ સમસ્યાઓની પરિસ્થિતિ જૈસે થે જેવી હોઈ આજરોજ શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશભાઈ પટેલે ડાકોરની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. તેમજ શહેરમાં સ્વચ્છતાની પરિસ્થિતિને લઇને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.


Conclusion:મહત્વનું છે કે સામાન્ય વરસાદમાં પણ રણછોડરાયજી મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં ગંદકીની કાયમી સમસ્યા છે.ગોમતીના ડેવલપમેન્ટમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગોમતી તળાવના શુદ્ધિકરણ બાબતે પણ ડાકોર નગરમાં વ્યાપક રોષ પ્રવર્તે છે.ઉપરાંત શહેરના આંતરિક રસ્તાઓ પર ગંદકી અને જાહેર માર્ગોની બિસ્માર હાલત છે.આ ઉપરાંત ડાકોરને કપડવંજ સાથે જોડતો હાઇવે પણ ખખડધજ હાલતમાં છે.આ વિવિધ સમસ્યાઓની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં સમસ્યા એની એ જ છે. ત્યારે આજરોજ રાજ્યના પ્રધાનને આ અંગે સ્થાનિક સંગઠન અને સિનિયર આગેવાનોએ રજૂઆત કરી હતી.ડાકોરની વિકટ અને વણઉકેલાયેલ કાયમી સમસ્યાના નિવારણ માટે માંગ કરવામાં આવી હતી.જેને લઇ રાજ્યપ્રધાન યોગેશભાઈ પટેલ દ્વારા આ તમામ સમસ્યાઓ સાંભળી તેના નિવારણ માટે ની ખાતરી આપવામાં આવી હતી.
બાઈટ-યોગેશભાઈ પટેલ, રાજ્ય પ્રધાન, શહેરી ગૃહ નિર્માણ વિભાગ
Last Updated : Sep 22, 2019, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.