ETV Bharat / state

કોરોના અસરઃ નવરાત્રી બંધ રહેતા ઈમિટેશન જ્વેલરીનો ધંધો ઠપ્પ

author img

By

Published : Oct 10, 2020, 9:50 AM IST

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કોરોનાને લઈ નવરાત્રી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને લઈ ઈમિટેશન જ્વેલરીના ધંધા પર પણ ખુબ પડી છે.

Navsari
Navsari

નડિયાદઃ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઈમીટેશન જવેલરીનો ધંધો ઠપ્પ થઈ જવા પામ્યો છે. સામાન્ય રીતે નવરાત્રિના કેટલાંક સમય અગાઉથી ઇમિટેશન જ્વેલરી તેમજ મેકઅપ સહિતની વસ્તુઓનો સ્ટોક કરી વેચાણ થતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે નવરાત્રી બંધ રાખવાનો નિર્ણય ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ માટે પડ્યા પર પાટુ સમાન નીવડયો છે.

નવરાત્રી બંધ રહેતા ઈમિટેશન જ્વેલરીનો ધંધો ઠપ્પ
કોરોના મહામારીએ જીવનના તમામ ક્ષેત્રને પ્રભાવિત કર્યા છે. મહામારીએ વેપાર-ધંધાને માઠી અસર પહોંચાડી છે. ત્યારે તહેવાર સાથે સંકળાયેલા ધંધા વ્યાપાર કરતાં વ્યાપારીઓની હાલત કફોડી થઈ છે. મહામારીને કારણે તહેવારોની ઉજવણી બંધ રહેતા તહેવાર સાથે સંકળાયેલા વેપાર-ધંધા પણ ઠપ્પ થઇ ગયા છે. આ વર્ષે નવરાત્રીની ઉજવણી ન કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ચણીયા ચોળીના વેપારીઓ તેમજ ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ માટે આ નિર્ણય જાણે કે ધંધો ઠપ્પ કરનારો બની રહ્યો છે. ચણિયાચોળીની પણ કોઈ ઘરાકી જોવા નથી મળતી. જેને લઈ ચણીયા ચોળીના વેપારીઓમાં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે.

સામાન્ય રીતે નવરાત્રીના એકાદ મહિના અગાઉથી જ ઈમિટેશન જ્વેલરીના વેપારીઓ દ્વારા દુકાનોમાં નવો સ્ટોક કરી દેવામાં આવતો હોય છે. તેમજ ખેલૈયાઓ દ્વારા ખરીદી પણ શરૂ થઈ જતી હોય છે. જેમાં નેકલેસ, ઓકસોડાઈઝ બેંગલ્સ, ગળાનો સેટ, બાજુબંધ, બલૈયા, નથણી, પાયલ વગેરેની ધૂમ ખરીદી થતી હોય છે. દુકાનોમાં ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે નવરાત્રિ બંધ રહેતા દુકાનો પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ ભારે નિરાશા અનુભવી રહ્યા છે. આ વર્ષે નવરાત્રી બંધ રહેવાના પરિણામે નવો સ્ટોક ભરવામાં આવ્યો નથી. તેમજ દુકાનો પર કોઈ ખરીદનાર પણ નથી. દુકાનમાં જે સ્ટોક પડી રહ્યો છે તે જેમનો તેમ છે. હવે ઘરાકી થાય તેવી પણ કોઈ આશા આ વેપારીઓ રાખી રહ્યા નથી. ત્યારે સામાન્ય રીતે દર વર્ષે મોટા વેપારીઓને સરેરાશ ત્રણ થી પાંચ લાખ રૂપિયા કે તેથી વધુ ઈમિટેશન જ્વેલરીનો વેપાર થતો હોય છે. જ્યારે આ વર્ષે વ્યાપારીઓની હાલત કફોડી બની છે.


કોરોનાને કારણે લોકડાઉનમાં ધંધા બંધ રહ્યા બાદ હવે વેપાર માટે વર્ષની મુખ્ય સીઝન ગણાતી નવરાત્રિ બંધ રાખવાનો નિર્ણય ઇમિટેશન જવેલરીના વેપારીઓ માટે પડ્યા પર પાટું સમાન બની રહ્યો છે.

નડિયાદઃ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઈમીટેશન જવેલરીનો ધંધો ઠપ્પ થઈ જવા પામ્યો છે. સામાન્ય રીતે નવરાત્રિના કેટલાંક સમય અગાઉથી ઇમિટેશન જ્વેલરી તેમજ મેકઅપ સહિતની વસ્તુઓનો સ્ટોક કરી વેચાણ થતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે નવરાત્રી બંધ રાખવાનો નિર્ણય ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ માટે પડ્યા પર પાટુ સમાન નીવડયો છે.

નવરાત્રી બંધ રહેતા ઈમિટેશન જ્વેલરીનો ધંધો ઠપ્પ
કોરોના મહામારીએ જીવનના તમામ ક્ષેત્રને પ્રભાવિત કર્યા છે. મહામારીએ વેપાર-ધંધાને માઠી અસર પહોંચાડી છે. ત્યારે તહેવાર સાથે સંકળાયેલા ધંધા વ્યાપાર કરતાં વ્યાપારીઓની હાલત કફોડી થઈ છે. મહામારીને કારણે તહેવારોની ઉજવણી બંધ રહેતા તહેવાર સાથે સંકળાયેલા વેપાર-ધંધા પણ ઠપ્પ થઇ ગયા છે. આ વર્ષે નવરાત્રીની ઉજવણી ન કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ચણીયા ચોળીના વેપારીઓ તેમજ ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ માટે આ નિર્ણય જાણે કે ધંધો ઠપ્પ કરનારો બની રહ્યો છે. ચણિયાચોળીની પણ કોઈ ઘરાકી જોવા નથી મળતી. જેને લઈ ચણીયા ચોળીના વેપારીઓમાં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે.

સામાન્ય રીતે નવરાત્રીના એકાદ મહિના અગાઉથી જ ઈમિટેશન જ્વેલરીના વેપારીઓ દ્વારા દુકાનોમાં નવો સ્ટોક કરી દેવામાં આવતો હોય છે. તેમજ ખેલૈયાઓ દ્વારા ખરીદી પણ શરૂ થઈ જતી હોય છે. જેમાં નેકલેસ, ઓકસોડાઈઝ બેંગલ્સ, ગળાનો સેટ, બાજુબંધ, બલૈયા, નથણી, પાયલ વગેરેની ધૂમ ખરીદી થતી હોય છે. દુકાનોમાં ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે નવરાત્રિ બંધ રહેતા દુકાનો પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ ભારે નિરાશા અનુભવી રહ્યા છે. આ વર્ષે નવરાત્રી બંધ રહેવાના પરિણામે નવો સ્ટોક ભરવામાં આવ્યો નથી. તેમજ દુકાનો પર કોઈ ખરીદનાર પણ નથી. દુકાનમાં જે સ્ટોક પડી રહ્યો છે તે જેમનો તેમ છે. હવે ઘરાકી થાય તેવી પણ કોઈ આશા આ વેપારીઓ રાખી રહ્યા નથી. ત્યારે સામાન્ય રીતે દર વર્ષે મોટા વેપારીઓને સરેરાશ ત્રણ થી પાંચ લાખ રૂપિયા કે તેથી વધુ ઈમિટેશન જ્વેલરીનો વેપાર થતો હોય છે. જ્યારે આ વર્ષે વ્યાપારીઓની હાલત કફોડી બની છે.


કોરોનાને કારણે લોકડાઉનમાં ધંધા બંધ રહ્યા બાદ હવે વેપાર માટે વર્ષની મુખ્ય સીઝન ગણાતી નવરાત્રિ બંધ રાખવાનો નિર્ણય ઇમિટેશન જવેલરીના વેપારીઓ માટે પડ્યા પર પાટું સમાન બની રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.