ETV Bharat / state

ગીર સોમનાથના ભાજપના પ્રદેશ પ્રમુખ અને કોંગી ધારાસભ્‍યએ રાજ્ય સરકારને રેમડેસીવીર ઇન્‍જેક્શન અંગે લખ્યો પત્ર

author img

By

Published : Apr 21, 2021, 7:24 PM IST

કોરોનાના કેસોનો રાફડો ફાટી રહેલો છે તેવા સમયે ગીર સોમનાથ જિલ્‍લામાં રેમડેસીવીર ઇન્‍જેક્શનનો જથ્‍થો ખુટી જતાં વિતરણ કામગીરી બંધ રહી હતી. સ્‍થાનિક ભાજપના આગેવાનો અને કોંગી ધારાસભ્‍યએ રાજ્ય સરકારને પત્ર લખી ઇન્‍જેક્શનનો વધુ સ્‍ટોક ફાળવવા માંગણી કરી છે.

ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત
ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત
  • ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત
  • રેમડેસીવીર ઇન્‍જેક્શનનો જથ્‍થો ખુટ્યો
  • જથ્‍થો ખુટી જતાં વિતરણ કામગીરી બંધ રહી
  • આગેવાનો અને ધારાસભ્‍યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર

ગીર સોમનાથ: કોરોના કહેર સામે ઝઝુમતા ગીર સોમનાથ જિલ્‍લાની સ્‍થ‍િતિ જાણે ભગવાન ભરોસે રાજ્ય સરકારે છોડી દીધી હોય તેવી હાલત સર્વત્ર જોવા મળી રહી છે. 20 એપ્રિલે જિલ્‍લામાં કોરોના ટેસ્‍ટિંગ કીટો ખુટી ગયા બાદ 21 એપ્રિલે કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેમડેસીવીર ઇન્‍જેકશનો ખલાસ થઇ ગયા હોવાથી કોરોનાના દર્દીઓ અને તેમના સંબંધીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા. જિલ્‍લા કક્ષાની કોવિડ હોસ્‍પિટલમાં રેમડેસીવીર ઇન્‍જેક્શનનો સ્‍ટોક ખાલી થઇ ગયો હોવાથી આજે દિવસભર ઇન્‍જેક્શનોનું વિતરણ થઇ શક્યું ન હતું. જિલ્‍લામાં રેમડેસીવીર ઇન્‍જેક્શન અછતના મામલે સ્‍થાનિક ભાજપ-કોંગ્રેસના જવાબદાર નેતાઓએ રાજ્ય સરકારને પત્ર લખી વધુ સ્‍ટોક ફાળવવા માંગણી કરી છે.

આગેવાનો અને ધારાસભ્‍યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર
આગેવાનો અને ધારાસભ્‍યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર

આ પણ વાંચો: ભુજમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા લોકો રોષે ભરાયા, રસ્તો ચક્કાજામ કર્યો

બીજો સ્‍ટોક આવશે ત્‍યારબાદ ફરી વિતરણ ચાલુ થશે

કોરોના મહામારીના લીધે ગીર સોમનાથ જિલ્‍લામાં દરરોજ પોઝિટિવ કેસો આવી રહ્યા છે. જિલ્‍લામાં કોરોનાના દર્દીઓને બેડ પણ મળતા ન હોવાની વ્‍યાપક ફરીયાદો લોકો કરી રહ્યા છે. જિલ્‍લા કક્ષાની સરકારી કોવિડ હોસ્‍પિટલ ઉપરાંત અન્ય 8 જેટલી ખાનગી કોવિડ હોસ્‍પિટલોમાં પણ બેડ ફુલ થઇ ગયા હોવાથી લાંબુ વેઇટિંગ લીસ્‍ટ છે. દરરોજ મોટી સંખ્‍યામાં નવા દર્દીઓ આવી રહ્યા છે. એવા સમયે કોરોનાની સારવારમાં રામબાણ ગણાતા રેમડેસીવીર ઇન્‍જેક્શનનો જથ્‍થો બુધવારે સવારથી જિલ્‍લા સિવિલ હોસ્‍પિટલમાં ખાલી થઇ ગયો હોવાથી વિતરણ બંધ કરી દેવાયું હતું. આ અંગે તંત્રના અધિકારીએ જણાવેલું કે, અઠવાડિયા પૂર્વે ગીર સોમનાથ જિલ્‍લા માટે 1,400 રેમડેસીવીર ઇન્‍જેક્શનોનો સ્‍ટોક આવેલો જે 100 ટકા વિતરણ કરી દેવાયો છે. ગુરૂવારે ઇન્‍જેક્શનનો બીજો સ્‍ટોક આવશે ત્‍યારબાદ ફરી વિતરણ ચાલુ કરી દેવાશે.

આગેવાનો અને ધારાસભ્‍યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર
આગેવાનો અને ધારાસભ્‍યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર

આ પણ વાંચો: સરકાર હેઠળ MOU થયેલી ગાંધીનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાશે રેમડેસીવીર ઇન્જેક્શન

ભાજપના પ્રદેશ પ્રમુખે રેમડેસીવરનો વધુ જથ્‍થો ફાળવવા કરી માંગણી

ભાજપના પ્રદેશ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરારે મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવેલું કે, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ મહામારીના સંક્રમણ કારણે ક્રિટીકલ દર્દીઓની સારવાર ચાલી રહેલી છે. જેમાં કોવિડ-19ને લગતા રેમડેસીવીર ઈન્જેક્શનની ખાસ જરૂરીયાત છે. ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે. જ્યાંથી કોવિડ-19ને લગતી દવાઓ તથા ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવે છે. હાલ જિલ્લામાં ક્રિટીકલ દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થતા ઈન્જેક્શનોની જરૂરીયાતમાં પણ ખાસો વધારો થયેલો છે. 21 એપ્રિલે સિવિલમાં રેમડસીવીરના ઈન્જેક્શનનો કોઈપણ સ્ટોક હાજર ન હોવાથી ગુરૂવારે જ તાત્કાલીક આ ઈન્જેક્શનનો જથ્થો ફાળવવા માંગણી કરી છે.

2 હજાર રેમડેસીવીર ઇન્‍જેક્શનો ફાળવવા કોંગી ધારાસભ્‍યની માંગણી

ગીર સોમનાથ જિલ્‍લામાં દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. મોટાભાગના દર્દીઓ જિલ્‍લા મથક વેરાવળમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ થાય છે. કોંગી ધારાસભ્‍યએ કહ્યું કે, તાજેતરની મારી સિવિલની મુલાકાત દરમિયાન હોસ્‍પિટલમાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્‍જેક્શનની કમી વારંવાર સર્જાતી હોવાનું ધ્યાને આવેલું હતું. દરરોજ મોટી માત્રામાં રેમડેસીવીર ઇન્‍જેક્શનોની સિવિલ અને ખાનગી કોવિડ હોસ્‍પિટલોમાં સારવાર લેતાં કોરોનાના દર્દીઓને જરૂરીયાત પડી રહી છે. જેથી 2 હજાર નંગ રેમડેસીવીર ઇન્‍જેક્શનનો જથ્‍થો વેરાવળ કોવિડ હોસ્‍પિટલને સત્‍વરે ફાળવવા આરોગ્‍ય પ્રધાન નિતીન પટેલને પત્ર લખી માંગણી કરી છે.

  • ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત
  • રેમડેસીવીર ઇન્‍જેક્શનનો જથ્‍થો ખુટ્યો
  • જથ્‍થો ખુટી જતાં વિતરણ કામગીરી બંધ રહી
  • આગેવાનો અને ધારાસભ્‍યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર

ગીર સોમનાથ: કોરોના કહેર સામે ઝઝુમતા ગીર સોમનાથ જિલ્‍લાની સ્‍થ‍િતિ જાણે ભગવાન ભરોસે રાજ્ય સરકારે છોડી દીધી હોય તેવી હાલત સર્વત્ર જોવા મળી રહી છે. 20 એપ્રિલે જિલ્‍લામાં કોરોના ટેસ્‍ટિંગ કીટો ખુટી ગયા બાદ 21 એપ્રિલે કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેમડેસીવીર ઇન્‍જેકશનો ખલાસ થઇ ગયા હોવાથી કોરોનાના દર્દીઓ અને તેમના સંબંધીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા. જિલ્‍લા કક્ષાની કોવિડ હોસ્‍પિટલમાં રેમડેસીવીર ઇન્‍જેક્શનનો સ્‍ટોક ખાલી થઇ ગયો હોવાથી આજે દિવસભર ઇન્‍જેક્શનોનું વિતરણ થઇ શક્યું ન હતું. જિલ્‍લામાં રેમડેસીવીર ઇન્‍જેક્શન અછતના મામલે સ્‍થાનિક ભાજપ-કોંગ્રેસના જવાબદાર નેતાઓએ રાજ્ય સરકારને પત્ર લખી વધુ સ્‍ટોક ફાળવવા માંગણી કરી છે.

આગેવાનો અને ધારાસભ્‍યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર
આગેવાનો અને ધારાસભ્‍યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર

આ પણ વાંચો: ભુજમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા લોકો રોષે ભરાયા, રસ્તો ચક્કાજામ કર્યો

બીજો સ્‍ટોક આવશે ત્‍યારબાદ ફરી વિતરણ ચાલુ થશે

કોરોના મહામારીના લીધે ગીર સોમનાથ જિલ્‍લામાં દરરોજ પોઝિટિવ કેસો આવી રહ્યા છે. જિલ્‍લામાં કોરોનાના દર્દીઓને બેડ પણ મળતા ન હોવાની વ્‍યાપક ફરીયાદો લોકો કરી રહ્યા છે. જિલ્‍લા કક્ષાની સરકારી કોવિડ હોસ્‍પિટલ ઉપરાંત અન્ય 8 જેટલી ખાનગી કોવિડ હોસ્‍પિટલોમાં પણ બેડ ફુલ થઇ ગયા હોવાથી લાંબુ વેઇટિંગ લીસ્‍ટ છે. દરરોજ મોટી સંખ્‍યામાં નવા દર્દીઓ આવી રહ્યા છે. એવા સમયે કોરોનાની સારવારમાં રામબાણ ગણાતા રેમડેસીવીર ઇન્‍જેક્શનનો જથ્‍થો બુધવારે સવારથી જિલ્‍લા સિવિલ હોસ્‍પિટલમાં ખાલી થઇ ગયો હોવાથી વિતરણ બંધ કરી દેવાયું હતું. આ અંગે તંત્રના અધિકારીએ જણાવેલું કે, અઠવાડિયા પૂર્વે ગીર સોમનાથ જિલ્‍લા માટે 1,400 રેમડેસીવીર ઇન્‍જેક્શનોનો સ્‍ટોક આવેલો જે 100 ટકા વિતરણ કરી દેવાયો છે. ગુરૂવારે ઇન્‍જેક્શનનો બીજો સ્‍ટોક આવશે ત્‍યારબાદ ફરી વિતરણ ચાલુ કરી દેવાશે.

આગેવાનો અને ધારાસભ્‍યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર
આગેવાનો અને ધારાસભ્‍યએ રાજ્ય સરકારને લખ્યો પત્ર

આ પણ વાંચો: સરકાર હેઠળ MOU થયેલી ગાંધીનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાશે રેમડેસીવીર ઇન્જેક્શન

ભાજપના પ્રદેશ પ્રમુખે રેમડેસીવરનો વધુ જથ્‍થો ફાળવવા કરી માંગણી

ભાજપના પ્રદેશ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરારે મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવેલું કે, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ મહામારીના સંક્રમણ કારણે ક્રિટીકલ દર્દીઓની સારવાર ચાલી રહેલી છે. જેમાં કોવિડ-19ને લગતા રેમડેસીવીર ઈન્જેક્શનની ખાસ જરૂરીયાત છે. ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે. જ્યાંથી કોવિડ-19ને લગતી દવાઓ તથા ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવે છે. હાલ જિલ્લામાં ક્રિટીકલ દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થતા ઈન્જેક્શનોની જરૂરીયાતમાં પણ ખાસો વધારો થયેલો છે. 21 એપ્રિલે સિવિલમાં રેમડસીવીરના ઈન્જેક્શનનો કોઈપણ સ્ટોક હાજર ન હોવાથી ગુરૂવારે જ તાત્કાલીક આ ઈન્જેક્શનનો જથ્થો ફાળવવા માંગણી કરી છે.

2 હજાર રેમડેસીવીર ઇન્‍જેક્શનો ફાળવવા કોંગી ધારાસભ્‍યની માંગણી

ગીર સોમનાથ જિલ્‍લામાં દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. મોટાભાગના દર્દીઓ જિલ્‍લા મથક વેરાવળમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ થાય છે. કોંગી ધારાસભ્‍યએ કહ્યું કે, તાજેતરની મારી સિવિલની મુલાકાત દરમિયાન હોસ્‍પિટલમાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્‍જેક્શનની કમી વારંવાર સર્જાતી હોવાનું ધ્યાને આવેલું હતું. દરરોજ મોટી માત્રામાં રેમડેસીવીર ઇન્‍જેક્શનોની સિવિલ અને ખાનગી કોવિડ હોસ્‍પિટલોમાં સારવાર લેતાં કોરોનાના દર્દીઓને જરૂરીયાત પડી રહી છે. જેથી 2 હજાર નંગ રેમડેસીવીર ઇન્‍જેક્શનનો જથ્‍થો વેરાવળ કોવિડ હોસ્‍પિટલને સત્‍વરે ફાળવવા આરોગ્‍ય પ્રધાન નિતીન પટેલને પત્ર લખી માંગણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.