- રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો
- છેલ્લા 24 કલાકમાં 490 પોઝિટિવ કેસ નોંધાયા
- રાજ્યમાં કુલ 2 લોકોને કોરોનાથી મોત
- છેલ્લા 24 કલાકમાં 707 દર્દીઓને આપવામાં આવી રજા
ગાંધીનગર : રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો. દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. ત્યારે રાજ્ય સરકારે રાત્રી કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 490 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 લોકોના મોત નિપજ્યા છે.
રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થયો
રાજયમાં કોરોનાથી સાજા થવાના રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 96.07 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી. રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,47,223 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.
કેટલા લોકો છે ક્વોરેન્ટાઈનમાં
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બુધવારેે કુલ 4,69,999 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,69,893 વ્યક્તિઓ હોમ ક્વૉરેન્ટાઈન છે અને 106 વ્યકતિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ 5967 એક્ટિવ કેસ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5748 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 51 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 5697 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4371 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 102, સુરત 81, બરોડામાં 71 અને રાજકોટમાં 53 જેટલા પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.