ETV Bharat / state

જાણો પારસીઓને આશરો આપનાર સંજાણના રાજાની યાદમાં ઉજવાતા સંજાણ ડે વિશે

author img

By

Published : Nov 17, 2019, 6:14 PM IST

Updated : Nov 17, 2019, 7:13 PM IST

સંજાણ: તેરસો વર્ષ પહેલા ઇરાનથી ભારતના સંજાણ બંદરે આવીને વસેલા પારસી સમાજે શનિવારે સંજાણ ડેની ઉજવણી કરી હતી. પારસી સમાજ માટે મહત્વનો કહેવાતો આ દિવસ એટલે એકબીજાને હળી-મળીને કીર્તિસ્તંભ ની મુલાકાત લઇ તેના દર્શન કરી આ વિસ્તારના રાજા જાદી રાણાના ઉપકારને યાદ કરવાનો દિવસ. આ દિવસ માટે બહાર ગામથી આવનારા પારસીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનોને સંજાણ સ્ટેશને ખાસ સ્ટોપેજ પણ આપવામાં આવે છે પારસીઓના આ વિશેષ તહેવાર 'સંજાણ ડે'નો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે જે માટે વાંચો આ વિશેષ અહેવાલ.

સંજાણ ડેની ઉજવણી

ઈરાનના મર્વ વિસ્તાર નજીક સંજાણ નગર આવેલું હતું. જ્યાં પારસીઓ રહેતા હતા. ધર્મની રક્ષા માટે ઈરાનનું સંજાણ નગર છોડીને ગુજરાતમાં આશરો માંગનારા પારસીઓએ પોતાના મુળ વતન સંજાણની યાદ તાજી રાખવા ગુજરાતમાં આ સ્થળે પોતાનો આશ્રય મેળવ્યો હતો. અને તે સ્થળને સંજાણ નામ આપ્યું હોવાનો ઉલ્લેખ છે. ઇરાનથી કુલ 1,305 પારસીઓ 11 વહાણોમાં ગુજરાતના દિવ અને તે બાદ સંજાણ બંદરે આવ્યા હતા. જેમાં 6 વહાણમાં મહિલાઓ 4 વહાણમાં પુરુષો અને એક વહાણમાં પવિત્ર આતશ સાથે તેમના ધર્મ ગુરુ હતા. 6 માસના દીર્ઘ પ્રવાસ બાદ તેઓ ભારતની આ ધરતી પર પહોંચ્યા હતાં.

સંજાણ ડેની ઉજવણી

પારસીઓના ઇતિહાસની ઝાંખી સંજાણ સ્તંભો ઉપરની તકતીમાં તો જોવા મળે જ છે. વળી પારસીઓના ઇતિહાસને અકબંધ રાખવા માટે વર્ષ 2002ની 20મી નવેમ્બરના રોજ સંજાણ દિવસની ઉજવણી સમયે એક ટાઈમ કેપ્સ્યુલને જમીનમાં ભંડારામાં આવી છે. ભારત આવ્યા બાદ પારસીઓએ કઈ રીતે પોતાના પવિત્ર આતશ ની રક્ષા કરીને પોતાના ધર્મને ટકાવી રાખ્યો અને કઈ રીતે ભારતમાં રહીને એમણે પ્રગતિ સાધી એનો ઉલ્લેખ આ કેપ્સ્યુલમાં કરવામાં આવ્યો છે. જેથી આગામી 100-200 કે 500 વર્ષ પછી જો કોઈ આ કોમ અંગે જાણવા માંગશે તો તે આ ટાઈમ કેપસ્યુલ થકી જાણી શકશે.

ઉલ્લેખનીય છે કે, દૂધમાં સાકરની જેમ ભળી જનાર આ પારસી કોમ આજે પણ તેમને આશ્રય આપનાર રાજાની યાદમાં એ દિવસની ઉજવણી કરતો હોય તેવો ભારત દેશનો એકમાત્ર સમાજ છે. જે હિંદુસ્તાન પ્રત્યેની દેશ દાઝ ધરાવે છે. અને 'જે દેશમાં છે બધા ધર્મોની ઈજ્જત અને માન એ દેશ છે મારો પ્યારો હિન્દુસ્તાન' એવુ ગર્વથી કહી PARSI= People Always Ready to Serve India કહી ઉપકારનો બદલો અનેકગણા ઉપકારથી આપી રહ્યો છે.

ઈરાનના મર્વ વિસ્તાર નજીક સંજાણ નગર આવેલું હતું. જ્યાં પારસીઓ રહેતા હતા. ધર્મની રક્ષા માટે ઈરાનનું સંજાણ નગર છોડીને ગુજરાતમાં આશરો માંગનારા પારસીઓએ પોતાના મુળ વતન સંજાણની યાદ તાજી રાખવા ગુજરાતમાં આ સ્થળે પોતાનો આશ્રય મેળવ્યો હતો. અને તે સ્થળને સંજાણ નામ આપ્યું હોવાનો ઉલ્લેખ છે. ઇરાનથી કુલ 1,305 પારસીઓ 11 વહાણોમાં ગુજરાતના દિવ અને તે બાદ સંજાણ બંદરે આવ્યા હતા. જેમાં 6 વહાણમાં મહિલાઓ 4 વહાણમાં પુરુષો અને એક વહાણમાં પવિત્ર આતશ સાથે તેમના ધર્મ ગુરુ હતા. 6 માસના દીર્ઘ પ્રવાસ બાદ તેઓ ભારતની આ ધરતી પર પહોંચ્યા હતાં.

સંજાણ ડેની ઉજવણી

પારસીઓના ઇતિહાસની ઝાંખી સંજાણ સ્તંભો ઉપરની તકતીમાં તો જોવા મળે જ છે. વળી પારસીઓના ઇતિહાસને અકબંધ રાખવા માટે વર્ષ 2002ની 20મી નવેમ્બરના રોજ સંજાણ દિવસની ઉજવણી સમયે એક ટાઈમ કેપ્સ્યુલને જમીનમાં ભંડારામાં આવી છે. ભારત આવ્યા બાદ પારસીઓએ કઈ રીતે પોતાના પવિત્ર આતશ ની રક્ષા કરીને પોતાના ધર્મને ટકાવી રાખ્યો અને કઈ રીતે ભારતમાં રહીને એમણે પ્રગતિ સાધી એનો ઉલ્લેખ આ કેપ્સ્યુલમાં કરવામાં આવ્યો છે. જેથી આગામી 100-200 કે 500 વર્ષ પછી જો કોઈ આ કોમ અંગે જાણવા માંગશે તો તે આ ટાઈમ કેપસ્યુલ થકી જાણી શકશે.

ઉલ્લેખનીય છે કે, દૂધમાં સાકરની જેમ ભળી જનાર આ પારસી કોમ આજે પણ તેમને આશ્રય આપનાર રાજાની યાદમાં એ દિવસની ઉજવણી કરતો હોય તેવો ભારત દેશનો એકમાત્ર સમાજ છે. જે હિંદુસ્તાન પ્રત્યેની દેશ દાઝ ધરાવે છે. અને 'જે દેશમાં છે બધા ધર્મોની ઈજ્જત અને માન એ દેશ છે મારો પ્યારો હિન્દુસ્તાન' એવુ ગર્વથી કહી PARSI= People Always Ready to Serve India કહી ઉપકારનો બદલો અનેકગણા ઉપકારથી આપી રહ્યો છે.

Intro:location :- vapi

સંજાણ :- તેરસો વર્ષ પહેલા ઇરાનથી ભારતના સંજાણ બંદરે આવીને વસેલા પારસી સમાજે શનિવારે સંજાણ ડેની ઉજવણી કરી હતી. પારસી સમાજ માટે મહત્વનો કહેવાતો આ દિવસ એટલે એકબીજાને હળી-મળીને કીર્તિસ્તંભ ની મુલાકાત લઇ તેના દર્શન કરી આ વિસ્તારના રાજા જાદી રાણાના ઉપકારને યાદ કરવાનો દિવસ આ દિવસ માટે બહાર ગામથી આવનારા પારસીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનોને સંજાણ સ્ટેશને ખાસ સ્ટોપેજ પણ આપવામાં આવે છે પારસીઓના આ વિશેષ તહેવાર 'સંજાણ ડે'નો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે જે માટે વાંચો આ વિશેષ અહેવાલ


Body:વિદેશી આક્રમણકારોથી પોતાના ધર્મને બચાવવા માટે વડવા પારસીઓનું એક જૂથ ઈરાનથી પોતાનો પવિત્ર અગ્નિ આતશ બહેરામ લઈને સંજાણ બંદરે આવ્યો હતો. તેઓના સંજાણ આગમનના દિવસને 'સંજાણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પારસીઓ સંજાણ દિવસની આ પરંપરાગત ધાર્મિક ઉજવણીને 'જશન સેરેમની' તરીકે ઓળખે છે. દર વર્ષે નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં આવતો સંજાણ ડે આ વર્ષે 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે. સંજાણમાં પારસીઓના આગમનની સ્મૃતિમાં આજથી 100 વર્ષ પહેલા સંજાણ સ્તંભ બનાવવામાં આવ્યો છે. લીલીછમ હરિયાળી ધરાવતા મનોરમ્ય વાતાવરણની વચ્ચે બનેલો આ સ્તંભ પારસીઓની હાજરીનો અહેસાસ કરાવે છે. આ સ્તંભની ટોચ પર પારસીઓનો પવિત્ર અગ્નિ આતશ બહેરામ કંડારવામાં આવ્યો છે. 50 ફૂટ ઊંચાઈ ધરાવતો સંજાણનો આ સ્મૃતિ સ્તંભ ગ્રેનાઇટમાંથી બનાવવામાં આવ્યો છે. આ સ્તંભ ઉપર 23 જેટલા ગુલાબના ફૂલોનું આકર્ષક નકશીકામ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે તકતી મુકવામાં આવેલી છે. આ તકતીમાં પારસી ધર્મની રક્ષા માટે પારસીઓને આશ્રય આપનાર જાદીરાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સ્મૃતિ સ્તંભ વિશે વધુ વિગતો આપતા સંજાણ મેમોરિયલ લોકલ કમિટીના મેમ્બર પરિચેહર દવીયરવાલાએ જણાવ્યું હતું કે તારીખ 6 ઓગસ્ટ 1917ના રોજ સંજાણ ખાતે આ સ્તંભનું ઉદઘાટન પારસી અગ્રણી સર જમશેદજી જીજીભોય ના હસ્તે કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ આ તકતી પર જોવા મળે છે. સંજાણ ડેના રોજ સંજાણ ખાતે વહેલી સવારથી જ દેશભરમાંથી આવેલા પારસીઓની ચહલ-પહલ જોવા મળે છે. વિવિધ સ્થળેથી આવેલા પારસીઓ એકબીજાને ગળે મળીને પરસ્પરને સંજાણ દિવસની શુભકામનાઓ પાઠવે છે સંજાણ સ્મૃતિ સ્તંભને ફૂલોના હાર વડે શણગારીને પારસીઓ દ્વારા એની પરિક્રમા કરવામાં આવે છે. હાલ પારસીઓની વસ્તી માંડ 60 હજાર છે. પરંતુ અમે જ્યારે અહીં આવીને વસ્યા હતા ત્યારે અમારી વસ્તી માત્ર 15 હજાર હતી. ટૂંકમાં ઘટતી જતી વસ્તીને તેણે પોઝિટિવ થીંકીંગથી વર્ષો પહેલાની વસ્તી સામે વધારે હોવાનું અને આ દેશ માટે સતત ઉપયોગી થયા છીએ અને ઉપયોગી થતા રહીશુંનો આશાવાદ વ્યકત કર્યો હતો.

ઈરાનના મર્વ વિસ્તાર નજીક સંજાણ નગર આવેલું હતું. જ્યાં પારસીઓ રહેતા હતા. ધર્મની રક્ષા માટે ઈરાનનું સંજાણ નગર છોડીને ગુજરાતમાં આશરો માંગનારા પારસીઓએ પોતાના મુળ વતન સંજાણની યાદ તાજી રાખવા ગુજરાતમાં આ સ્થળે પોતાનો આશ્રય મેળવ્યો હતો. અને તે સ્થળને સંજાણ નામ આપ્યું હોવાનો ઉલ્લેખ છે. ઇરાનથી કુલ 1,305 પારસીઓ 11 વહાણોમાં ગુજરાતના દિવ અને તે બાદ સંજાણ બંદરે આવ્યા હતા. જેમાં 6 વહાણમાં મહિલાઓ 4 વહાણમાં પુરુષો અને એક વહાણમાં પવિત્ર આતશ સાથે તેમના ધર્મ ગુરુ હતા. 6 માસના દીર્ઘ પ્રવાસ બાદ તેઓ ભારતની આ ધરતી પર પહોંચ્યા હતા.

પારસીઓના ઇતિહાસની ઝાંખી સંજાણ સ્તંભો ઉપરની તકતીમાં તો જોવા મળે જ છે. વળી પારસીઓના ઇતિહાસને અકબંધ રાખવા માટે વર્ષ 2002ની 20મી નવેમ્બરના રોજ સંજાણ દિવસની ઉજવણી સમયે એક ટાઈમ કેપ્સ્યુલને જમીનમાં ભંડારામાં આવી છે. ભારત આવ્યા બાદ પારસીઓએ કઈ રીતે પોતાના પવિત્ર આતશ ની રક્ષા કરીને પોતાના ધર્મને ટકાવી રાખ્યો અને કઈ રીતે ભારતમાં રહીને એમણે પ્રગતિ સાધી એનો ઉલ્લેખ આ કેપ્સ્યુલમાં કરવામાં આવ્યો છે. જેથી આગામી 100-200 કે 500 વર્ષ પછી જો કોઈ આ કોમ અંગે જાણવા માંગશે તો તે આ ટાઈમ કેપસ્યુલ થકી જાણી શકશે.


Conclusion:ઉલ્લેખનીય છે કે, દૂધમાં સાકરની જેમ ભળી જનાર આ પારસી કોમ આજે પણ તેમને આશ્રય આપનાર રાજાની યાદમાં એ દિવસની ઉજવણી કરતો હોય તેવો ભારત દેશનો એકમાત્ર સમાજ છે. જે હિંદુસ્તાન પ્રત્યેની દેશ દાઝ ધરાવે છે. અને 'જે દેશમાં છે બધા ધર્મોની ઈજ્જત અને માન એ દેશ છે મારો પ્યારો હિન્દુસ્તાન' એવુ ગર્વથી કહી PARSI= People Always Ready to Serve India કહી ઉપકારનો બદલો અનેકગણા ઉપકારથી આપી રહ્યો છે.

bite :- 1, પરિચેહર દવીયરવાલા, સંજાણ મેમોરિયલ લોકલ કમિટીના મેમ્બર

bite :- 2, રોહિંટન એન્જિનિયર, અગ્રણી ઉદ્યોગપતિ

bite :- 3, મરઝબાન વાડિયા,દેવીયર પારસી જર્થોસ્તી અંજુમન ફંડના પ્રમુખ
Last Updated : Nov 17, 2019, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.